Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પવિત્ર અધિક શ્રાવણ માસ નિમિત્તે જંબુસરના નાડા ગામે હરિધામ સોખડાની સાધ્વી બહેનો દ્વારા સમૂહ મહાપુજા યોજાય...

પવિત્ર અધિક શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન.

X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાડા ગામના દેવજગન મંદિર પરિસર ખાતે હરિધામ સોખડા સાધ્વી બહેનો દ્વારા પવિત્ર અધિક શ્રાવણ માસ નિમિત્તે મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ પવિત્ર અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે હિન્દુ ધર્મમાં અધિક માસમાં પૂજા,દર્શન, દાન,ધર્માદા, ભક્તિનો અધિક માસમાં કરેલી ભક્તિનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. હરિધામ સોખડાના ગુરુહરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના રૂડા આશિષ અને પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી ભરૂચના જંબુસર તાલુકાના નાડા ગામે દેવજગન મંદિર પરિસર ખાતે સાધ્વી બહેનો દ્વારા સમૂહ મહાપુજા યોજાય હતી.

મહાપુજા પ્રસંગે સાધ્વી સુખચરણબહેન, સુલ્ભ બહેન, સ્વયમ પ્રકાશ બહેન, સુખદીપ બહેન, સમથલ બહેન ઉપસ્થિત રહી તાલુકાની બહેનોને સમૂહ મહાપૂજા કરાવી હતી. આ સાથે જ મહાપુજા પ્રસંગે પવિત્ર શ્રાવણ માસમાં કરેલી ભજન ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે જંબુસર તાલુકા મંડળ પ્રમુખ લક્ષ્મી મકવાણા, સ્મૃતિ પટેલ, અલ્પીશા પટેલ સહિત મોટી સંખ્યામાં સત્સંગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story