અમરેલી : થોરડી ગામે સિંહે ફાડી ખાતા 6 વર્ષીય બાળકનું કરૂણ મોત, વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝરથી બેભાન કરી પાંજરે પુર્યો

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે સિંહના હુમલાની ઘટના સામે આવી છે. ખેત મજૂરના 6 વર્ષીય બાળકને સિંહ ઉપાડી લઈ જઈ ફાડી ખાધો ટ્રેન્ક્યુલાઈઝરથી સિંહને નિષ્ક્રિય કરી પાંજરે પુરાયો

New Update
  • સાવરકુંડલાના થોરડી ગામે સિંહનો જીવલેણ હુમલો

  • ખેત મજૂરના 6 વર્ષીય બાળકને સિંહ ઉપાડી ગયો

  • સિંહ ફાડી ખાતા 6 વર્ષીય બાળકનું કરૂણ મોત થયું

  • બનાવના પગલે વન વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું

  • ટ્રેન્ક્યુલાઈઝરથી સિંહને નિષ્ક્રિય કરી પાંજરે પુરાયો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે સિંહના હુમલાની ઘટના સામે આવી છે. ખેત મજૂરના 6 વર્ષીય બાળકને સિંહ ઉપાડી લઈ જઈ ફાડી ખાધો હતોજ્યારે બનાવના પગલે વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર દ્વારા નિષ્ક્રિય કરી પાંજરે કેદ કર્યો હતો.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી-રાજુલા બોર્ડર વિસ્તારમાં એક દુખદ ઘટના બની છે. થોરડી ગામની સીમમાં આવેલા ખેડૂત અશોક બરવાળીયાની વાડીમાં ભાગ્યા ખેત મજૂરી તરીકે મધ્યપ્રદેશનો પરિવાર કામ કરતો હતો. આ દરમિયાન વાડી વિસ્તરામાં સિંહ આવી ચડતા મજૂર પરિવાર સાથે રહેતા 5 વર્ષીય બાળક ગુલસિંગ હરિલાલ અજમેરાને શિકાર બનાવ્યો હતો. સિંહે બાળકને વાડીથી 200 મીટર દૂર ઝાડીમાં ઢસડીને લઈ જઈ ફાડી ખાધો હતો.

 જોકેપરિવાર દ્વારા બાળકને બચાવવા માટે પ્રયાસ કરતા સિંહ સામે હુમલાનો પ્રયાસ કરતા પરિવાર ડરી ગયો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે. તો બીજી તરફબનાવની જાણ થતાં જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં વનવિભાગની ટીમને બાળકની માત્ર ખોપડીના અવશેષો મળી આવ્યા હતા.

જેને સાવરકુંડલા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેસિંહ દ્વારા માનવમૃત્યુની ઘટનાનો વન વિભાગના અધિકારી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છેત્યારે વન વિભાગે સિંહને ટ્રેન્ક્યુલાઈઝર (એક ખાસ પ્રકારની બંદૂકથી જાનવરને બેભાન કરવાનું ઈન્જેક્શન ફાયર કરવામાં આવે છે) દ્વારા નિષ્ક્રિય કરી ગણતરીના કલાકોમાં પાંજરે પુરવામાં સફળ રહ્યું હતું.