નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 53મી GST કાઉન્સિલની બેઠક બાદ કહ્યું કે ભારતીય રેલવેની ઘણી સેવાઓને GSTના દાયરામાં બહાર કાઢવામાં આવી છે. હવે પ્લેટફોર્મ ટિકિટ પર GST લાગુ નહીં થાય. આ સાથે સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલા સોલાર કૂકર અને દૂધના ડબ્બા પર 12 ટકા GST લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પેપર અને પેપર બોર્ડથી બનેલા કાર્ટન પર 12 ટકા GST લાદવાની પણ ભલામણ કરવામાં આવી છે.
નાણામંત્રીએ કહ્યું કે તમામ પ્રકારના સ્પ્રિંકલર પર 12 ટકા જીએસટી લાદવાની ચર્ચા થઈ છે. તેમણે કહ્યું કે પેપર કાર્ટન બોક્સ અને સ્પ્રિંકલર પરના GSTમાં ઘટાડાથી હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના સફરજન ઉત્પાદકોને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત, દેશભરમાં આધાર આધારિત બાયોમેટ્રિક ઓળખ સુનિશ્ચિત કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. આનાથી નકલી ઇનવોઇસ દ્વારા નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની ઘટનાઓ પર અંકુશ આવશે.