જમ્મુ-કાશ્મીરમાં વધું એક જવાન શહીદ થતા આંકડો 5 થયો,બે સૈનિકોના મૃતદેહો વિકૃત હાલતમાં મળી આવ્યા

જમ્મુ-કાશ્મીરમાં વધું એક જવાન શહીદ થતા આંકડો 5 થયો,બે સૈનિકોના મૃતદેહો વિકૃત હાલતમાં મળી આવ્યા
New Update

ગુરુવારે (21 ડિસેમ્બર), આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો. આ પહેલા લગભગ 3.45 કલાકે થયેલા હુમલામાં ત્રણ જવાનો શહીદ થયાના સમાચાર હતા. બાદમાં આ આંકડો વધીને પાંચ થઈ ગયો. આ દુર્ઘટનામાં 2 જવાન પણ ઘાયલ થયા છે. હજુ સર્ચ ચાલુ છે.

સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે સામ-સામે અથડામણ થઈ હતી. શહીદ થયેલા બે જવાનોના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની વચ્ચે ઝપાઝપી થઈ હતી તે વાતને નકારી શકાય તેમ નથી. એવી પણ શક્યતા છે કે આતંકવાદીઓએ જવાનોને શહીદ કર્યા અને તેમના હથિયારો લૂંટી લીધા.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો થાનામંડી-સુરનકોટ રોડ પર ડેરા કી ગલી (DKG) નામના વિસ્તારમાં થયો હતો. સૈનિકોને લઈને આ વાહનો સુરનકોટ અને બાફલિયાજ જઈ રહ્યા હતા, જ્યાં સુરક્ષા દળોએ બુધવારે રાત્રે આતંકવાદીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સેના આજે ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોનો સંપર્ક કરવામાં સફળ રહી હતી, ત્યારબાદ અહીં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવી રહ્યા હતા.

#India #mutilated condition #Jammu and Kashmir #jawan martyred #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article