ઘરે સોલાર પેનલ લગાવી મેળવો આવક, જાણો PM સુર્ય ઘર યોજના માટે અરજી કરવાની રીત

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સોલાર પેનલથી વીજળી બિલમાં રાહત આપે છે. આ યોજના હેઠળ સરકાર સબસિડી પણ આપે છે.

New Update
solarr

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સોલાર પેનલથી વીજળી બિલમાં રાહત આપે છે. આ યોજના હેઠળ સરકાર સબસિડી પણ આપે છે.

પ્રધાનમંત્રી સુર્ય ઘર યોજના અંતર્ગત તમે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવીને વીજળીના ખર્ચમાંથી મુક્તિ મેળવી શકો છો. પ્રધાનમંત્રી સુર્ય યોજના (PM Suryoday Yojana) ભારત સરકારની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે, જેનો હેતુ દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સૌર ઊર્જા સાથે જોડવાનો છે.

આ યોજનાના માધ્યમથી ઘર ઉપર સોલાર પેનલ લગાવવામાં આવે છે, જેના કારણે વીજળીનું ઉત્પાદન ઘરેજ થાય છે, ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને પર્યાવરણને પણ લાભ મળે છે.

સોલાર પેનલ યોજનાના વેન્ડરે જણાવ્યું કે આ યોજના હેઠળ લાભ લેવા માટે યોગ્ય વ્યક્તિએ સૌપ્રથમ https://pmsuryaghar.gov.in વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ, વીજળીનું બિલ, બેંક ખાતાની વિગતો અને મોબાઇલ નંબર જરૂરી છે. ઓનલાઇન અરજી કર્યા બાદ DISCOM એટલે કે વીજળી વિભાગ દ્વારા અરજીની તપાસ કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ સોલાર પેનલ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ થશે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને સોલાર પેનલ સ્થાપિત કરવા પર સબસિડી આપે છે. સામાન્ય રીતે 1 થી 3 કિલોવોટ સુધીના સોલાર સિસ્ટમ પર 40% સુધીની સબસિડી મળે છે. ઉત્તર પ્રદેશમાં યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકે માત્ર ટેન્ડર સાથે જોડાયેલા પ્રમાણિત વેન્ડર પાસેથી જ પેનલ લગાવવાની રહેશે.

જો તમે સોલાર પેનલ સ્થાપિત કરો છો, તો વીજળીના બિલમાં ભારે ઘટાડો થશે તેમજ વધારાની વીજળી વીજ વિભાગને વેચીને આવક પણ મેળવી શકાશે. એકવાર સોલાર પેનલ સ્થાપિત થયા બાદ 20 થી 25 વર્ષ સુધી વીજળીનું સ્થાયી સમાધાન મળી જાય છે.

આ યોજના પર્યાવરણને લાભદાયક છે, કારણ કે તે નવિકરણક્ષમ ઊર્જાનો સ્ત્રોત છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના ગ્રાહકો PM સુર્યઘર યોજના હેઠળ વીજળીના ખર્ચમાં રાહત મેળવી શકે છે. આ યોજના માત્ર આર્થિક રીતે લાભકારી જ નથી, પરંતુ સ્વચ્છ ઊર્જાને પણ પ્રોત્સાહન આપે છે.

સમયસર ઓનલાઇન અરજી અને જરૂરી દસ્તાવેજોની સાચી માહિતી આપી કોઈપણ પરિવાર સરળતાથી આ યોજનાનો લાભ મેળવી શકે છે. જો તમે 1 કિલોવોટથી 10 કિલોવોટ સુધીનું સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો, તો જરૂરી કાગળો વડે અરજી કરી શકો છો. નજીકના રિટેલરનો સંપર્ક કરી શકો છો. 

Latest Stories