પાકિસ્તાનના પર્વતીય પ્રવાસન સ્થળ મુરીમાં ભારે હિમવર્ષા અને પ્રવાસીઓની સંખ્યા વધુ હોવાને કારણે વાહનોમાં ફસાઈ જવાથી નવ બાળકો સહિત ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. જે બાદ શનિવારે તેને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો.
રાવલપિંડી જિલ્લામાં સ્થિત મુરી તરફ જતો દરેક માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે હજારો વાહનો શહેરમાં પ્રવેશ્યા હતા અને પ્રવાસીઓ રસ્તાઓ પર અટવાયા હતા. પર્યટન સ્થળ પર લગભગ એક હજાર કાર ફસાઈ ગઈ હતી. પંજાબના મુખ્યમંત્રીએ બચાવ કાર્ય ઝડપી બનાવવા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડવા સૂચનાઓ જારી કરી હતી. રેસ્ક્યુ 1122 દ્વારા તૈયાર કરાયેલી યાદી અનુસાર નવ બાળકો સહિત ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. વડા પ્રધાન ઈમરાન ખાને એક નિવેદનમાં કહ્યું કે મુરીના માર્ગમાં પ્રવાસીઓના મોતની ઘટનાથી તેઓ આઘાત અને દુઃખી છે. ખાને ટ્વિટ કર્યું, “ભારે હિમવર્ષા અને હવામાનની સ્થિતિ જાણ્યા વિના મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનને કારણે જિલ્લા વહીવટીતંત્ર તૈયારી કરી શક્યું નથી. તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આવી દુર્ઘટના ફરી ન બને તે માટે કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રી શેખ રશીદે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે રસ્તાઓ પરથી વાહનો હટાવવા માટે સેના તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 15-20 વર્ષ પછી આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુરી આવ્યા હતા, જેના કારણે આ અકસ્માત થયો હતો. રાશિદે કહ્યું કે સરકારે ઈસ્લામાબાદથી મુરી સુધીનો રસ્તો બંધ કરવો પડ્યો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170