અમદાવાદ : દિવાળીનું પર્વ ઉજવવા લોકો વતનની વાટે, સૌરાષ્ટ્ર તરફ જતાં લોકોનો ધસારો
BY Connect Gujarat13 Nov 2020 10:23 AM GMT
X
Connect Gujarat13 Nov 2020 10:23 AM GMT
દિવાળીના તહેવારની શરૂઆતમાં લોકો પોતાના વતનની વાટ પકડી છે ત્યારે ST બસો અને ખાનગી બસોમાં ધસારો જોવા મળી રહ્યો છે. ધનતેરસના દિવસથી સૌરાષ્ટ્ર જતા મુસાફરોનો ધસારો વધ્યો છે. જો કે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોમાં ઘટાડો છે. કોરોનાની અસર મુસાફરી પર પણ જોવા મળી રહી છે.
સલામત સવારી એસટી બસ કોરોનાનું નવું ઘર બની રહી છે. 75 ટકા કેપેસિટી સાથે બસો શરૂ કરવાના તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. દિવાળીના તહેવારને લઈ એસટી સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. પણ સાથે કોરોનાકાળમાં બસપોર્ટ પર કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી એટલું જ નહીં પરંતુ મુસાફરોનું ચેકિંગ પણ કરવામાં આવતું નથી. થર્મલ ગનથી તાપમાન પણ માપવામાં નથી આવતું. વતનનમાં જઇ રહેલી જનતા એસટી વિભાગની બેદરકારીનો ભોગ બની રહી છે.
Next Story