/connect-gujarat/media/media_files/2025/10/01/recipi-2025-10-01-12-33-25.jpg)
રાતે વધેલા શાક રોટલી અને દાળ ભાત માંથી સવારે નાસ્તા માટે સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. અહીં રાતના વધેલા ભોજન માંથી 5 સ્વાદિષ્ટ નાસ્તાની વાનગી બનાવવાની સરળ રીત જણાવી છે.
ભારતીય થાળી રોટલી શાક અને દાળ ભાત વગર અધુરી માનવામાં આવે છે. મોટાભાગના લોકોના ઘરે આ વાનગી બને છે અને ખાય છે. પરંતુ કેટલીકવાર રાતે બનાવેલું ભોજન વધી જાય છે, જેને ઘણા લોકો સવારે ગરમ કરીને ખાય છે તો અમુક ખાવાનું ટાળે છે. આવા રાતે બચેલા ભોજન માંથી પણ સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. જી, તમે રાતે વધેલા દાળ-ભાત, રોટલી અને શાક માંથી સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકો છો. એકવાર ખાધા પછી, તમારા ઘરના બધા, બાળકોથી લઈને મોટાઓ સુધી, તેને વારંવાર ખાવાની માંગણી કરશે.
બટાકા, કોબીજ, પનીર જેવી વધેલી સબ્જી માંથી સવારે સ્વાદિષ્ઠ પરોઠા બનાવી શકો છો. તેમાં તાજગી લાવવા માટે થોડીક ડુંગળી અને લીલું કોથમીર મિક્સ કરવું જોઈએ.
જો રાત્રે રોટલી વધારે બની ગઇ હોય તો બીજા દિવસે તેમાંથી ક્રિસ્પી ચિપ્સ બનાવી શકાય છે. આ માટે, રોટલીને ગોળા કે ત્રિકોણ આકારમાં નાના નાની કાપી લો. તે પછી તેની પર મીઠું, મરચાં, ચાટ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ રોટલીને તેલમાં તળી લો. અથવા તો એર ફ્રાય પણ કરી શકાય છે.