પોષકતત્વોનો ખજાનો છે તકમરિયા, અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે તકમરિયા

કેલસિયમથી ભરપૂર તકમરિયાનું સેવન કરવાથી શરીરને યોગ્ય માત્રમાં કેલ્સિયમ મળી રહે છે. તેને દૂધમાં મિક્સ કરીને લેવાથી ફાયદો થાય છે.

New Update

તકમરિયાનો છોડ મૂળભૂત રીતે આપણા ભારતનો છે. આપણે ત્યાં સદીઓથી તેના બીજનો ખાવામાં અને ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે શરીરની ગરમીને ઓછી કરે છે. એટલા માટે જ તે ઉનાળામાં શરબત, આઇસ્ક્રીમ, કુલફી, મિલ્કસેક અને ડેઝર્ટમાં તે છૂટ થી વપરાય છે. તકમરિયાના બીજને પલાળ્યા વગર ખાવા હિતાવહ નથી, ઉપયોગમાં લેતા પહેલા તેને નવશેકા પાણીમાં પલાળી રાખવા જોઈએ...

Advertisment

પલાળ્યા પછી તેની સાઇઝ બમણી થઈ જાય છે. અને ત્યારે તેમાથી એક એંઝાઇમ રીલીઝ થાય છે. તકમરિયાના નાના કાળા દાણા અનેક પોષક તત્વોનો ખજાનો છે. તે પ્રોટીન અને એંટીઓક્સિડંટ થી ભરપૂર છે. તે ઉપરાંત તેમાં વિટામિન એ, વિટામિન કે, લ્યુટિન, કેલ્શિયમ, કોપર, પોટેસીયમ, આયર્ન જેવા અનેક ઉપયોગી તત્વો છે. એક ગ્લાસ પાણીમાં થોડા તકમરિયા અને સાકર નાખીને પીવાથી એસિડિટીમાં રાહત મળે છે. તે બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે. તે શરીરને ડિટોક્ષ કરે છે અને ગેસ, કબજિયાત જેવી તકલીફોથી દૂર રાખે છે. તેના નિયમિત સેવનથી સ્કીન અને હેર હેલ્ધી બને છે...

એનીમિયાથી બચાવે છે:-

આ સમસ્યા મુખ્ય પણે ગર્ભવતી મહિલાઓને હોય છે. લોહીની ઉણપની આ એક એવી અવસ્થા છે જેને સંપૂર્ણ પણે નિવારવી ખૂબ જ જરૂરી બને છે. સામાન્ય રીતે અયોગ્ય અને અનિયમિત ખાનપાનને કારણે લોહીની ઉણપ સર્જાય છે. તેનાથી બચવા માટે ખોરાકમાં બહોડા પ્રમાણમા આયર્નનો ખોરાક લેવો પડે છે. તકમરિયામાં બહોડા પ્રમાણમાં આયર્ન હોવાથી તેનું સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થાય છે...

કેલ્સિયમ:-

કેલસિયમથી ભરપૂર તકમરિયાનું સેવન કરવાથી શરીરને યોગ્ય માત્રમાં કેલ્સિયમ મળી રહે છે. તેને દૂધમાં મિક્સ કરીને લેવાથી ફાયદો થાય છે. તકમરિયાથી હાડકાં મજબૂત બને છે...

Advertisment
Latest Stories