/connect-gujarat/media/post_banners/75843558f5f79dd0348fd88696acff1f356681a09a5b1bdf67a9a8ce67ef0a65.webp)
ઉનાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ડિહાઇડ્રેશનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આમલીનું શરબત ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે, આમલીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે શરીર માટે કુદરતી ઠંડકનું કામ કરે છે. તેના સેવનથી ન માત્ર પાચનતંત્ર સુધરે છે, પરંતુ તે શરીરને અંદરથી ડિટોક્સ પણ કરે છે. તમે આમલીની ચટણી તો ખાધી હશે, પરંતુ આ દિવસોમાં તમે કેરીના પન્ના, સત્તુ કે બીલાનું શરબત,નાળિયેર પાણી તો ખૂબ પીતા હશો, પરંતુ આજે જાણી લો ઘરે આસાનીથી આમલીનું શરબત બનાવવાની રીત, જે તમને ઠંડક આપશે.
આમલીનું શરબત બનાવવા માટેની સામગ્રી :-
આમલી - 2 ચમચી, ખાંડ (પાઉડર)/ ગોળ - અડધો કપ, એલચી પાવડર - 1/4 ચમચી
કાળા મરી - 1/4 ચમચી, કાળું મીઠું - સ્વાદ અનુસાર, મીઠું - સ્વાદ અનુસાર, ફુદીનાના પાન - 4-6
બરફના ટુકડા - જરૂરિયાત મુજબ
આમલીનું શરબત બનાવવાની રીત :-
આમલીની ચાસણી બનાવવા માટે સૌથી પહેલા તેના બીજ કાઢી લો. હવે એક કપ પાણીમાં આમલી નાંખો અને તેને ઓછામાં ઓછા 2 કલાક માટે પલાળી રાખો. પછી તેને પલ્પની સાથે લઈને તેને મિક્સરની મદદથી પીસી લો અને પછી તેને કપડાની મદદથી ગાળી લો અને તેને એક વાસણમાં કાઢી લો. ત્યાર બાદ આ પછી તેમાં દળેલી ખાંડ અથવા ગોળ, એલચી પાવડર, કાળા મરી, કાળું મીઠું અને સફેદ મીઠું ઉમેરો. અને પછી ફૂદીનાના પાનને ક્રશ કરીને ઉમેરો અને બરફના ટુકડા ઉમેરીને ઠંડુ સર્વ કરો.