સાબરકાંઠા : કોરોના કાળમાં સીરામીક ઉદ્યોગ પડી ભાંગતા ઉદ્યોગકારોને આવ્યો મોટી નુકશાની વેઠવાનો વારો..!

સાબરકાંઠા : કોરોના કાળમાં સીરામીક ઉદ્યોગ પડી ભાંગતા ઉદ્યોગકારોને આવ્યો મોટી નુકશાની વેઠવાનો વારો..!
New Update

સમગ્ર ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન સહિત કરફ્યુ જાહેર કરાયા હતા, ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા અલગ અલગ તબક્કામાં લોકોને આંશિક છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં સીરામીક ઉદ્યોગ કોરોના સમયગાળા દરમ્યાન પડી ભાંગ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા સીરામીક યુનિટો પૈકી હાલ માત્ર 2 કે 3 યુનિટો કાર્યરત છે, જ્યારે બાકી તમામ યુનિટ મરણપથારીએ જોવા મળી રહ્યા છે.

ગુજરાત સહિત દેશમાં કોરોના સંક્રમણ વધવાના કારણે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. જેને લઈ દેશના અનેક શહેરોમાં ધંધા રોજગાર ઠપ થઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાતમાં મોરબી પછી બીજા ક્રમે સીરામીક ઉદ્યોગ સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે. સીરામીક ઉદ્યોગ થોડા સમય અગાઉ ધમધમી રહ્યો હતો. પરંતુ કોરોનાનું ગ્રહણ લાગતાં સીરામીક ઉદ્યોગ હાલ પડી ભાંગ્યો છે. સીરામીક ઉદ્યોગમાં વપરાતું રો-મટીરિયલ બીજા રાજ્યમાંથી આવતું હોય છે. પરંતુ લોકડાઉન હોવાના કારણે હાલ રો-મટીરિયલ પણ મળતું ન હતું. તો બીજી તરફ બજારો બંધ બંધ હોવાથી સીરામીક ઉદ્યોગમાં તૈયાર થયેલ ટાઇલ્સનું પણ વેચાણ અટકી ગયું છે.

એક તરફ કોરોના સંક્રમણ ઘટાડવા માટે સરકાર દ્વારા નિયંત્રણ મુકવામાં આવ્યા છે. તો બીજી તરફ નિયંત્રણો લદાયેલ હોવાના કારણે ઉદ્યોગો બંધ પડ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં સીરામીક ઉદ્યોગના નાના મોટા 14 યુનિટો કાર્યરત હતા. પરંતુ કોરોના કાળ દરમ્યાન જિલ્લામાં માત્ર 3 યુનિટો કાર્યરત છે. એ ત્રણ યુનિટો પણ 50 ટકા ઉત્પાદન કરી રહ્યા છે, ત્યારે સીરામીક ઉદ્યોગના માલિકો તો નુકશાન વેઠી રહ્યાં છે, સાથો સાથ સરકારને પણ ટેક્સમાં નુકશાન જઈ રહ્યું છે. એટલું જ નહીં આ યુનિટો બંધ હોવાથી શ્રમિક વર્ગ પણ રોજગારી છોડી પોતાના વતનની મીટ માંડી રહ્યા છે. જેથી કહી શકાય કે, સીરામીક ઉદ્યોગને પણ કોરોના ગ્રહણ લાગતા હવે આ ઉદ્યોગ પણ ઠપ થઈ ચૂક્યો છે, ત્યારે હવે જો આંતરરાજ્ય બોર્ડર ખુલે તો ફરીથી આ ઉદ્યોગ ઉભા થાય તેવું સાબરકાંઠા જિલ્લા સીરામીક એસોસીએશનનું માનવું છે.

#Sabarkantha #Siramic Industries #sabarkantha news
Here are a few more articles:
Read the Next Article