દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી, 4 લોકોના મોત
BY Connect Gujarat Desk31 March 2024 3:26 AM GMT
X
Connect Gujarat Desk31 March 2024 7:01 AM GMT
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે.ત્યારે દ્વારકામાં એક મકાનમાં આગ લાગતા એક પરિવાર આગમાં હોમાયો છે. દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત નિપજ્યાં છે.
રાત્રે અંદાજે 4 વાગ્યા આસપાસ ઘરમાં આગ લાગી હતી.મકાનમાં આગ લાગતા ગૂંગળામણને કારણે ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં 1 બાળકી, 2 મહિલા, 1 પુરુષનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયરની ટિમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે. મૃતદેહો સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.
Next Story