BCCIના સચિવ જય શાહની ભવિષ્યવાણી, ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી અને WTC જીતશે

સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે કહ્યું છે કે, T-20 વર્લ્ડ કપ પછી અમે રોહિતની કેપ્ટન્સીમાં 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ જીતીશું

New Update
સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે કહ્યું છે કે, T-20 વર્લ્ડ કપ પછી અમે રોહિતની કેપ્ટન્સીમાં 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ જીતીશું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે કહ્યું છે કે, T-20 વર્લ્ડ કપ પછી અમે રોહિતની કેપ્ટન્સીમાં 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ જીતીશું.શાહે કહ્યું કે, હું T20 વર્લ્ડ કપની જીત કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને સમર્પિત કરવા માગુ છું.

છેલ્લા એક વર્ષમાં આ અમારી ત્રીજી ફાઈનલ હતી. જૂન 2023માં અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયા હતા. નવેમ્બર 2023માં દસ જીત બાદ અમે દિલ જીતી લીધું, પણ કપ જીતી શક્યા નહીં.ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનમાં રમાવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરી 2025ના રોજ રમાશે. ફાઈનલ મેચ 9 માર્ચે યોજાશે. તે જ સમયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ જૂનમાં લંડનના લોર્ડ્સમાં રમાશે.

Latest Stories