બાંગ્લાદેશી ખેલાડી મહમુદુલ્લાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, સોશ્યલ મીડિયા પર કરી જાહેરાત

બાંગ્લાદેશી ખેલાડી મહમુદુલ્લાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. મહમુદુલ્લાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર નિવૃત્તિની જાહેરાત કરી.

New Update
મહમુદુલ્લાહે

બાંગ્લાદેશી ખેલાડી મહમુદુલ્લાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. મહમુદુલ્લાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર નિવૃત્તિની જાહેરાત કરી. 39 વર્ષીય મહમુદુલ્લાહ 2021માં ટેસ્ટ અને 2024માં T20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેણે કુલ 430 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.મહમુદુલ્લાહ બાંગ્લાદેશ તરફથી વન-ડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા ક્રમે છે. તેણે 36.46 ની સરેરાશથી 5689 રન બનાવ્યા, જેમાં 4 સદી અને 32 અડધી સદીનો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશ માટે વનડેમાં મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન અને તમીમ ઇકબાલે મહમુદુલ્લાહ કરતા વધુ રન બનાવ્યા છે.
મહમુદુલ્લાહે પોતાની પોસ્ટ પર લખ્યું, 'મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. હું મારા બધા સાથી ખેલાડીઓ, કોચ અને ખાસ કરીને મારા ચાહકોનો આભાર માનું છું જેમણે હંમેશા મને ટેકો આપ્યો છે. મારા ભાઈ ઇમદાદ ઉલ્લાહનો ખૂબ ખૂબ આભાર, જે બાળપણથી જ મારા કોચ અને માર્ગદર્શક તરીકે મારી સાથે રહ્યા છે.'તેણે આગળ કહ્યું, 'મારી પત્ની અને બાળકોનો આભાર, જેમણે દરેક મુશ્કેલ સમયમાં મને સાથ આપ્યો છે. મને ખબર છે કે લાલ અને લીલા જર્સીમાં મને યાદ કરવામાં આવશે. બધું જ સંપૂર્ણ રીતે સમાપ્ત થતું નથી.'

Advertisment
Latest Stories