/connect-gujarat/media/post_banners/0a8c98a49599346412fb6fe8ec54f1ba6501ccb4ec7c7d3668a58b866e83e414.webp)
ટીમ ઈન્ડિયાએ ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીની બીજી મેચ 33 રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
આ મેચમાં ભારતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 185 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમ 152 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 40 અને રિંકુ સિંહે 38 રનનું યોગદાન આપ્યું હતું. આયર્લેન્ડ તરફથી બેરી મેકકાર્થીએ બે વિકેટ ઝડપી હતી. જવાબમાં, આયર્લેન્ડે એન્ડ્ર્યુ બાલબિર્નીએ 72 રન બનાવ્યા હતા, પરંતુ તે મેચ જીતી શક્યું ન હતું. બાલબિર્ની સિવાય માત્ર માર્ક એડેર (23), કર્ટિસ કેમ્ફર (18) અને જ્યોર્જ ડોકરેલ (13) બે આંકડાને સ્પર્શી શક્યા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, રવિ બિશ્નોઈ અને પ્રખ્યાત કૃષ્ણાએ બે-બે વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે એક વિકેટ લીધી હતી.