IND vs NZ : ટોસ દરમિયાન કેપ્ટન રોહિત પોતાનો નિર્ણય ભૂલી ગયો, ન્યૂઝીલેન્ડના કેપ્ટન અને મેચ રેફરી પણ થયા સ્તબ્ધ..!
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો, પરંતુ પોતાનો નિર્ણય ભૂલી ગયો હતો. રોહિત થોડીવાર વિચારતો રહ્યો. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમ અને મેચ રેફરી રોહિતના બોલવાની રાહ જોઈ રહ્યા હતા. થોડીવાર વિચાર્યા બાદ રોહિતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to field first in the second #INDvNZ ODI.
— BCCI (@BCCI) January 21, 2023
Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/YBw3zLgPnv
આ પછી તેણે કહ્યું કે મેચ પહેલા ઘણી ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં, તે થોડા સમય માટે પોતાનો નિર્ણય ભૂલી ગયો, પરંતુ તે પહેલા બોલિંગ કરવા માંગે છે. જો કે, ટોસ પછી નિર્ણય લેવામાં રોહિતનો વિલંબ એટલો લાંબો હતો કે કોમેન્ટેટર રવિ શાસ્ત્રી, મેચ રેફરી જાવાગલ શ્રીનાથ અને ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમને પણ આશ્ચર્ય થયું કે રોહિતને શું થયું છે.