IND vs SL T20 : શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની આજે થશે જાહેરાત

New Update
IND vs SL T20 : શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની આજે થશે જાહેરાત

ટીમ ઈન્ડિયાને આવતા વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20 અને વનડે શ્રેણી રમવાની છે. ચેતન શર્માની અધ્યક્ષતાવાળી નિલંબિત પસંદગી સમિતિ જ 27 ડિસેમ્બર (મંગળવાર)ના રોજ શ્રીલંકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. રોહિત શર્માની ગેરહાજરીમાં સીનિયર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટી-20 સીરિઝમાં ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે.

શ્રીલંકા સામેની ટી20 સીરીઝ માટે રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ યુવા બેટ્સમેનોને તક આપવા માંગે છે. ખાસ કરીને યુવા બેટ્સમેન પૃથ્વી શૉને ટીમમાં સ્થાન મળી શકે છે. પૃથ્વી શૉ ઓપનિંગમાં એક આદર્શ વિકલ્પ સાબિત થઈ શકે છે.

T20 ક્રિકેટમાં ઝડપથી બદલાવ આવતા મેન ઇન બ્લુને એવા ઓપનરની જરૂર છે જે શરૂઆતથી જ બોલરો પર પ્રભુત્વ મેળવી શકે. પૃથ્વી શૉ આ માપદંડને સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે. પૃથ્વી શૉ એવો ખેલાડી છે જેને સેટ થવામાં વધુ સમય લાગતો નથી. IPLમાં પૃથ્વી શૉનો સ્ટ્રાઈક રેટ 147.45 છે જે તેની આક્રમક શૈલી બતાવે છે. પૃથ્વીની બેટિંગ શૈલીની સરખામણી વિરેન્દ્ર સેહવાગ સાથે પણ થાય છે.