ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વન-ડે શ્રેણીની બીજી મેચ આજે (29 જુલાઈ) બાર્બાડોસમાં રમાશે. પ્રથમ મેચમાં પણ બંને ટીમો આજ મેદાન પર આમને-સામને આવી હતી. ત્યારે ભારતે 5 વિકેટે પરાજય આપ્યો હતો. આવી સ્થિતિમાં ભારત શનિવારે શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવવા જશે.
જ્યારે ટેસ્ટ મેચની વાત કરીએ તો તેણે બે ટેસ્ટ મેચની શ્રેણી 1-0થી પોતાના નામે કરી હતી. ડોમિનિકામાં રમાયેલી પ્રથમ મેચ એક ઇનિંગ્સ અને 141 રને જીતી હતી. ત્રિનિદાદમાં રમાયેલી ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થઈ હતી. ભારત પાસે વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવાની તક છે.
રોહિત શર્માની ટીમ જ્યારે બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે ત્યારે ODIમાં કેરેબિયન ટીમ પર 17 વર્ષનું પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા પર નજર રાખશે. જો ભારત બીજી વનડે જીતે છે, તો તે વિન્ડીઝ સામેની સતત 13મી વનડે શ્રેણી જીતી શકશે એટલું જ નહીં, પરંતુ 2006-07થી આ ટીમ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં પણ સફળ રહેશે.