Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ UAEમાં રમાઈ શકે છે:મેચ રમવા માટે ભારતીય ટીમનું પાકિસ્તાન જવા અંગે શંકા..

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાશે. અહીં ભારતની મેચ રમવા પર ફરી આશંકા છે.

ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ UAEમાં રમાઈ શકે છે:મેચ રમવા માટે ભારતીય ટીમનું પાકિસ્તાન જવા અંગે શંકા..
X

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં યોજાશે. અહીં ભારતની મેચ રમવા પર ફરી આશંકા છે. આ દરમિયાન એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેને એશિયા કપ જેવા 'હાઇબ્રિડ મોડલ' પર આયોજીત કરી શકે છે.ICC એક્ઝિક્યુટિવ બોર્ડના એક સૂત્રએ PTI ને કહ્યું, 'જો ભારત સરકાર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા માંગતી નથી, તો ICC ત્યાંના બોર્ડ પર દબાણ ન બનાવી શકે. તેણે વિકલ્પ શોધવો પડશે. હાલમાં દુબઈમાં ICC બોર્ડના સભ્યોની બેઠક ચાલી રહી છે. આ વિષય બેઠકના એજન્ડામાં સામેલ નથી, પરંતુ બેઠકમાં સભ્યો વચ્ચે તેની ચર્ચા થઈ શકે છે.ગયા વર્ષે પણ એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળી હતી. ત્યારે પણ જ્યારે ભારત ત્યાં નહોતું ગયું ત્યારે આ ટુર્નામેન્ટ 'હાઈબ્રિડ મોડલ' પર યોજાઈ હતી. ભારત સામેની મેચો શ્રીલંકામાં યોજાઈ હતી. કોલંબોમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.પાકિસ્તાન જવાના સવાલ પર બીસીસીઆઈના પૂર્વ અધિકારીએ કહ્યું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ કે ઈંગ્લેન્ડ કરતા વધુ ખતરો છે. ખરેખરમાં ભારત અને પાકિસ્તાનના સંબંધો અત્યારે સારા નથી. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓનું નિશાન માત્ર ભારત છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓને પાકિસ્તાનમાં આતંકવાદીઓથી જોખમ હોઈ શકે છે. પાકિસ્તાનમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર આતંકી હુમલો થયો હતો. જો કે, આ હુમલામાં કોઈ ખેલાડી કે સપોર્ટ સ્ટાફને ઈજા થઈ નહોતી​​​​​​​.

Next Story