Connect Gujarat
સ્પોર્ટ્સ

માહીએ પોતાના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, CSKની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી

એમ.એસ. ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. ઋતુરાજ ગાયકવાડ IPL 2024માં ટીમનું નેતૃત્વ કરશે.

માહીએ પોતાના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, CSKની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી
X

એમ.એસ. ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. ઋતુરાજ ગાયકવાડ IPL 2024માં ટીમનું નેતૃત્વ કરશે. IPL 2024ની શરૂઆત પહેલા એમએસ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને ચેન્નઈ સુપર કિંગ્સની આગેવાની સોંપી છે. શુક્રવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ સિઝનની શરૂઆતની મેચ ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે રમાશે.CSKએ એક નિવેદન જારી કરીને કહ્યું- 'એમ એસ ધોનીએ IPL 2024ની શરૂઆત પહેલાં ઋતુરાજ ગાયકવાડને ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ સોંપી દીધી છે. ગાયકવાડ 2019 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે અને આ સમયગાળા દરમિયાન તેણે IPLમાં 52 મેચ રમી છે. ટીમ આગામી સિઝનની રાહ જોઈ રહી છે. આ પહેલાં એમએસ ધોની, સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેજા ટીમની કમાન સંભાળી ચૂક્યા છે.

Next Story