ટી20 વર્લ્ડ કપ 2024 : ICCએ T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલની કરી જાહેરાત, દિનેશ કાર્તિક સહિત 40 સભ્યોને કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું

ટી20 વર્લ્ડ કપ 2024 : ICCએ T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલની કરી જાહેરાત, દિનેશ કાર્તિક સહિત 40 સભ્યોને કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું
New Update

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024(ICC T20 World Cup 2024) શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આગામી વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન દરમિયાન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પણ T20 વર્લ્ડ કપની સંપૂર્ણ તૈયારીઓમાં વ્યસ્ત છે. હવે ICCએ T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી છે.

સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને પણ 40 સભ્યોની કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. કાર્તિકે વર્તમાન IPL સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રતિનિધિત્વ કર્યું હતું. દિનેશ કાર્તિક વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે હવે તે IPLની આગામી સિઝનમાં ભાગ નહીં લે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચ બાદ 38 વર્ષના દિનેશ કાર્તિકને વિરાટ કોહલી અને આરસીબીના ખેલાડીઓએ અભિનંદન પાઠવ્યા હતા. જોકે, કાર્તિકે IPLમાંથી નિવૃત્તિ અંગે તેની તરફથી કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી.

દિનેશ કાર્તિક ઉપરાંત ભારતના હર્ષ ભોગલે, રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કરને પણ કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાની દિગ્ગજ ખેલાડી વસીમ અકરમ, વકાર યુનુસ અને રમીઝ રાજા પણ વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ હશે. અમેરિકન કોમેન્ટેટર જેમ્સ ઓ'બ્રાયનને પણ પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે.

#India #ConnectGujarat #T20 World Cup 2024 #ICC #T20 World Cup #Dinesh Karthik #commentary panel
Here are a few more articles:
Read the Next Article