ઓસ્ટ્રેલિયા ટી 20 સીરિઝ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, સૂર્યકુમાર યાદવને સોંપાઈ જવાબદારી

વર્લ્ડ કપની બે ફાઈનલ ટીમો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફરી ટક્કર થવાની છે. 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 સીરિઝ રમાવાની છે. આ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે જેમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન તો ઋતુરાજ ગાયકવાડને વાઈસ કેપ્ટન બનાવાયો છે.
Australia’s tour of India, 2023 | India’s squad for the T20I series against Australia announced
— ANI (@ANI) November 20, 2023
India’s squad: Suryakumar Yadav (Captain), Ruturaj Gaikwad (vice-captain), Ishan Kishan, Yashasvi Jaiswal, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Washington Sundar, Axar Patel,… pic.twitter.com/gr1w7fkixY
નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંઘ, જીતેશ શર્મા (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંઘ, પ્રસિધ ક્રિશ્ના, આવેશ ખાન, મુકેશ કુમાર.