ટીમ ઇન્ડિયા 12 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ સિરીઝ હારી, ન્યુઝીલેન્ડ સામે કેપટન-કોચની રણનીતિ ફેઈલ !

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હારી ગઈ છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કિવી ટીમે 113 રને પરાજય આપ્યો હતો.3 મેચની સિરીઝમાં 2-0

New Update
india 3

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હારી ગઈ છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કિવી ટીમે 113 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે કિવીઝે 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ 12 વર્ષ બાદ હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સિરીઝ હારી છે.

ટીમની છેલ્લી હાર 2012માં ઇંગ્લેન્ડ સામે થઈ હતી. આ સિરીઝ હાર સાથે જ ભારતીય હોમગ્રાઉન્ડના વર્ચસ્વનો 4331 દિવસ પછી અંત આવ્યો છે.શનિવારે મેચના ત્રીજા દિવસે 359 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 245 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં કિવીઝે 259 રન બનાવ્યા હતા અને ભારતે 156 રન બનાવ્યા હતા. મિચેલ સેન્ટનરે પહેલી ઇનિંગમાં 7 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.

Read the Next Article

ગૌતમ ગંભીરની માતાને આવ્યો હાર્ટ અટેક, માતાની તબિયત બગડતા તેમને ICUમાં દાખલ કરાયા

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે તૈયારી કરી રહી છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ભારત પરત

author-image
By Connect Gujarat Desk
New Update
ggabhir

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સીરિઝ માટે તૈયારી કરી રહી છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફરી રહ્યા છે. કેટલાક ટ્વિટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની માતાની તબિયત બગડતા તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગૌતમ ગંભીર 7 જૂને ટીમ સાથે લંડન પહોંચ્યો હતો. ટીમ હાલમાં બેકેનહામમાં પ્રેક્ટિસ કરી રહી છે. આજથી અહીં એક ઇન્ટ્રા-સ્ક્વોડ પ્રેક્ટિસ મેચ રમવાની છે, પરંતુ તે પહેલાં તેણે ટીમ છોડીને ભારત પરત ફરવું પડ્યું હતું. જોકે, 20 જૂનથી શરૂ થનારી ટેસ્ટ પહેલા તે ટીમ સાથે ઇંગ્લેન્ડમાં રહેશે.

ગૌતમ ગંભીરની માતાનું નામ સીમા ગંભીર છે. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તેઓ હાલમાં ICUમાં દાખલ છે, પરંતુ સારી વાત એ છે કે તેઓ ખતરાની બહાર છે. હવે પ્રાપ્ત માહિતી મુજબ, ગંભીર 17 જૂને ઇંગ્લેન્ડ પરત ફરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.

ગંભીરનો પરિવાર દિલ્હીમાં રહે છે, તેમના પિતાનું નામ દીપક ગંભીર છે. તેમનો ટેક્સટાઇલ્સનો વ્યવસાય છે. તેમની માતા સીમા ગંભીર ગૃહિણી છે. ગંભીરની એક નાની બહેન છે, જેનું નામ એકતા છે. ઓક્ટોબર 2021માં ગંભીરે નતાશા જૈન સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રીઓ છે જેમનું નામ Aazeen અને Anaiza છે.