સુરત : કેન્સરની બીમારીથી કંટાળી આધેડે તાપી નદીમાં ઝંપલાવ્યું

New Update
સુરત : કેન્સરની બીમારીથી કંટાળી આધેડે તાપી નદીમાં ઝંપલાવ્યું

સુરત શહેરના કાપોદ્રા વિસ્તરમાં રહેતા 62 વર્ષીય રજનીકાંત ચૌધરીએ કેન્સરની બીમારીથી કંટાળી સિધ્ધકુટિર ઓવરા ખાતે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક સ્થળે આવી હતી અને ફાયરની ટિમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

કાપોદ્રા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ દીનદયાળ નગરમાં રહેતો મૂળ માંડવીનો વતની 62 વર્ષીય રજનીકાંત ચૌધરી પરિવારમાં કોઈને કહી કહ્યા વગર વહેલી સવારે આશરે 4 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયા હતા. ત્યાર બાદ બપોરે 12 વગાયના અરસામાં કાપોદ્રા સિધ્ધકુટિર ઓવરા ખાતે તાપી માંથી તેઓની લાશ મળી હતી. રજનીકાંત ભાઈ કેન્સરની બીમારીથી પીડાતા હતા જેથી તાપી નદીમાં કૂદકો મારી આપઘાત કર્યો હોવાનું જાણવા મળેલ છે. હાલ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બુલેટ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની રાજસ્થાન ખાતેથી કરી ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડી રોયલ

New Update
IMG-20250630-WA0045
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડી રોયલ કોમ્પલેક્ષના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બુલેટ બાઇકની ચોરીમાં સંડોવાયેલ આરોપી પ્રેમસિંગ ઉર્ફે બબલુ ઉદેસિંગ રાણાવત ઓળખ છુપાવી રાજસ્થાનના શિરોહી ખાતે ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી પ્રેમસિંગ રાણાવતને ઝડપી પાડ્યો હતો.