/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/09170431/IMG-20210509-WA0029.jpg)
સુરત શહેરના કાપોદ્રા વિસ્તરમાં રહેતા 62 વર્ષીય રજનીકાંત ચૌધરીએ કેન્સરની બીમારીથી કંટાળી સિધ્ધકુટિર ઓવરા ખાતે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક સ્થળે આવી હતી અને ફાયરની ટિમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
કાપોદ્રા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ દીનદયાળ નગરમાં રહેતો મૂળ માંડવીનો વતની 62 વર્ષીય રજનીકાંત ચૌધરી પરિવારમાં કોઈને કહી કહ્યા વગર વહેલી સવારે આશરે 4 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયા હતા. ત્યાર બાદ બપોરે 12 વગાયના અરસામાં કાપોદ્રા સિધ્ધકુટિર ઓવરા ખાતે તાપી માંથી તેઓની લાશ મળી હતી. રજનીકાંત ભાઈ કેન્સરની બીમારીથી પીડાતા હતા જેથી તાપી નદીમાં કૂદકો મારી આપઘાત કર્યો હોવાનું જાણવા મળેલ છે. હાલ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.