સુરત : વચગાળાના જામીન પૂર્ણ થતાં નારાયણ સાઈને ફરી લાજપોર જેલમાં મોકલાયા

New Update
સુરત : વચગાળાના જામીન પૂર્ણ થતાં નારાયણ સાઈને ફરી લાજપોર જેલમાં મોકલાયા

સાધિકા સાથે દુષ્કર્મ મામલે આજીવન કારાવાસ ભોગવી રહેલા નારાયણ આજે 14 દિવસનો ફ્લો પૂર્ણ થતા પોલીસ જાપ્તા સાથે અમદાવાદથી સુરત લાજપોર જેલ પરત લાવવામાં આવ્યા હતા. મીડિયાના કેમેરા સામે નારાયણ સાઈ હાથ જોડી કશું કહ્યું નહોતું. નારાયણ સાઈ પરત આવતા દર્શન માટે જેલ બહાર ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા દોષી નારાયણ સાંઈને 14 દિવસનો ફ્લો જામીન આપવામાં આવ્યા હતા. નારાયણ સાઈની માતાને હૃદયની બીમારી હોવાના કારણે કોર્ટ દ્વારા 14 દિવસનો ફ્લો આપવામાં આવ્યો હતો. જેથી તે 14 દિવસ પહેલા જેલથી અમદાવાદ પહોંચ્યો હતો. અને આજે ફ્લો જામીન પૂર્ણ થતા ભારે પોલીસ જાપ્તા સાથે તે ફરી  સુરત જેલ લાવવામાં આવ્યો હતો. નારાયણ સાઈ જેલ પહોંચે તે પહેલા જેલની આસપાસ તેના અનુયાયીઓ મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા.

સુરત લાજપોર જેલ પરત લાવવામાં આવ્યા હતા મીડિયાના કેમેરા સામે નારાયણ સાઈ હાથ જોડી કશું કહ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે સાધ્વી સાથે દુષ્કર્મ મામલે સુરત દ્વારા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તે સુરતના લાજપોર જેલમાં છેલ્લા સાત વર્ષ થી કારાવાસ ભોગવી રહ્યો છે.. અને માતાની તબિયત સારી હોવાના કારણે તેને હાઇકોર્ટમાં ફલોની માંગણી કરી હતી.. અને તેને ૧૪ દિવસના ફલો જમીન મળ્યા હતા. અને આજે ફલો પુરા થતા પરત લાજપોર જેલમાં મોકલાયો છે.