સુરત : કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામજનો થયા સતર્ક, 3 દિવસના સ્વૈચ્છીક લોકડાઉનની કરી જાહેરાત

New Update
સુરત : કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામજનો થયા સતર્ક, 3 દિવસના સ્વૈચ્છીક લોકડાઉનની કરી જાહેરાત

સુરત જીલ્લામાં કોરોનાના કેસ વધતા અનેક ગામડાઓના ગ્રામજનો સતર્ક થઈ ગયા છે, ત્યારે ઓલપાડ, સાયણ અને દેલાડ પંથકમાં આગામી 3 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના સંક્રમણની બીજી લહેર વધુ ઘાતક બની છે, ત્યારે સુરત જિલ્લાના વિવિધ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ઓલપાડ, સાયણ અને દેલાડ પંથકમાં તા. 16, 17 અને 18 એમ કુલ ત્રણ દિવસ માટે સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં આવ્યું છે. જોકે લોકડાઉનના પ્રથમ દિવસે જ ઓલપાડ અને દેલાડ ગામમાં સંપૂર્ણ બંધના દ્રશ્યો નજરે પડ્યા છે. જેથી કહી શકાય કે, લોકો પણ હવે જાગૃત બની લોકડાઉનનો ચુસ્ત અમલ કરી રહ્યા છે. જોકે, લોકડાઉનનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવાની જાહેરત કરવામાં આવી છે.