સુરત : વિદ્યાર્થીનીના શંકાસ્પદ આપઘાત પ્રકરણમાં DEO દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરાઈ

ગોડાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપોના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે

New Update
  • ગોડાદરામાં વિદ્યાર્થીનીનો આપઘાતનો મામલો

  • શાળામાં શૈક્ષણિક ફી ભરવાની હતી બાકી

  • પરિવારજનોએ શાળા સંચાલકો પર કર્યો હતો આક્ષેપ

  • DEO દ્વારા તપાસ કમિટીની કરાઈ રચના

  • જો સ્કૂલ જવાબદાર હશે તો થશે કાર્યવાહી 

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી આદર્શ પબ્લિક સ્કુલની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો,જોકે મૃતક પુત્રીના પરિવારજનોએ શાળા સંચાલકો પર ફી ભરવા બાબતે ટોર્ચ કરવાનો આરોપ લગાવ્યો હતો,પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ ઘટનામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરોજ ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.દીકરીના મોતને પગલે પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કારણે વિદ્યાર્થીનીને સજાના ભાગ રૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

જોકેગોડાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપો પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે,જેમાં DEO દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને બાકી ફી મુદ્દે ટોર્ચર ન કરે તેમજ વિદ્યાર્થીઓના વાલી સાથે જ સીધો સંપર્ક કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

જ્યારે આ કેસમાં સ્કૂલમાં બંને બહેનોની ફી ભરવાની બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે.જ્યારે આ ઘટનામાં જો સ્કૂલની કોઈ વાંધો જણાશે તો શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં આ ઘટનામાં વધુ ચોંકાવનારી હકીકત બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.સુરત : વિદ્યાર્થીનીના શંકાસ્પદ આપઘાત પ્રકરણમાં DEO દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરાઈ

Read the Next Article

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વની કરાઈ ઉજવણી

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

New Update
  • શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં યોજાયો કાર્યક્રમ   

  • કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્વની ઉજવણી

  • ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

  • બાળકોનો કુમકુમ પગલે શાળામાં પ્રવેશ

  • તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેનજિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,જયારે શાળાનું પ્રથમ પગથિયું ચઢતા નાના ભુલકાઓને કુમકુમ તિલક કરી અને કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.