સુરત : વિદ્યાર્થીનીના શંકાસ્પદ આપઘાત પ્રકરણમાં DEO દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરાઈ

ગોડાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપોના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે

New Update
  • ગોડાદરામાં વિદ્યાર્થીનીનો આપઘાતનો મામલો

  • શાળામાં શૈક્ષણિક ફી ભરવાની હતી બાકી

  • પરિવારજનોએ શાળા સંચાલકો પર કર્યો હતો આક્ષેપ

  • DEO દ્વારા તપાસ કમિટીની કરાઈ રચના

  • જો સ્કૂલ જવાબદાર હશે તો થશે કાર્યવાહી 

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી આદર્શ પબ્લિક સ્કુલની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો,જોકે મૃતક પુત્રીના પરિવારજનોએ શાળા સંચાલકો પર ફી ભરવા બાબતે ટોર્ચ કરવાનો આરોપ લગાવ્યો હતો,પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ ઘટનામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરોજ ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.દીકરીના મોતને પગલે પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કારણે વિદ્યાર્થીનીને સજાના ભાગ રૂપે વર્ગખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

જોકેગોડાદરા પોલીસ દ્વારા પરિવારના આક્ષેપો પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી.તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે,જેમાંDEO દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને બાકી ફી મુદ્દે ટોર્ચર ન કરે તેમજ વિદ્યાર્થીઓના વાલી સાથે જ સીધો સંપર્ક કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

જ્યારે આ કેસમાં સ્કૂલમાં બંને બહેનોની ફી ભરવાની બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે.જ્યારે આ ઘટનામાં જો સ્કૂલની કોઈ વાંધો જણાશે તો શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં આ ઘટનામાં વધુ ચોંકાવનારી હકીકત બહાર આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.સુરત : વિદ્યાર્થીનીના શંકાસ્પદ આપઘાત પ્રકરણમાંDEO દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ શરૂ કરાઈ

Read the Next Article

સુરત : બેન્ડ, ટેલેન્ટ આર્ટિસ્ટ,ટેબ્લો સાથેની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન,મુખ્યમંત્રી પણ રહેશે ઉપસ્થિત

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 2025ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

New Update
  • મનપા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

  • સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજન

  • મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે તિરંગા યાત્રા

  • 50,000થી વધુ લોકોને યાત્રામાં જોડાવાનો લક્ષ્યાંક

  • યાત્રામાં બેન્ડટેલેન્ટ આર્ટિસ્ટ,ટેબ્લો જમાવશે આકર્ષણ

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 2025ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 2025ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આગામી રવિવારે10 ઓગસ્ટ2025ના રોજ સાંજે 6 વાગ્યે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ યાત્રા સુરત-ડુમસ રોડ પરના વાય જંક્શનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 1.8થી 2 કિ.મી.ના રૂટ પર યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહેશે. તેમની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સ્થાનિક મંત્રીઓ પણ જોડાશે.

આ ભવ્ય આયોજન અંગેની માહિતી આપવા માટે અઠવાલાઇન્સ પોલીસ ભવન ખાતે એક સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં તિરંગા યાત્રાની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. કમિશનરે જણાવ્યું હતું કેઆ યાત્રા માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતા એક કાર્નિવલ સ્વરૂપે યોજાશેજેમાં સમાજના દરેક વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાશે.

આ યાત્રામાં માત્ર સુરતના લોકો જ નહિ પરંતુજુદા-જુદા રાજ્યના અને વિવિધ ધર્મના લોકો પણ જોડાશેજે "એક ભારતશ્રેષ્ઠ ભારત"ની ભાવનાને સાકાર કરશે. ઉદ્યોગ જગતના લોકો પણ આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાગ લેશે. આ યાત્રામાં 20 જેટલા અલગ-અલગ બેન્ડટેલેન્ટ આર્ટિસ્ટ અને ટેબ્લો પણ જોડાશેજે દેશભક્તિના ગીતો અને રંગબેરંગી પ્રદર્શનથી વાતાવરણને ઉત્સાહમય બનાવશે.

યાત્રાના રૂટ પર 12 જેટલા સ્કલ્પચર સ્ટેજ તૈયાર કરવામાં આવશેજ્યાં અલગ-અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવશે. આનાથી યાત્રામાં જોડાનારા લોકોને વિવિધ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળશે. આ યાત્રાનું એક મુખ્ય આકર્ષણ એ હશે કેપાલિકાના માર્શલ પગપાળા દોઢ કિલોમીટર લાંબો તિરંગા લઈ યાત્રામાં જોડાશેજે એક અનોખો રેકોર્ડ સ્થાપિત કરશે. યાત્રામાં 50,000થી વધુ લોકો ડેડિકેટેડ રીતે જોડાશે એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છેજ્યારે કુલ 10,000થી વધુ લોકો સામેલ કરવાનો પ્રારંભિક લક્ષ્યાંક હતો.પોલીસ અને પાલિકા દ્વારા આ યાત્રાને સફળ બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે.