સુરત : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ

ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12 હજાર જગ્યાઓ માટે રાજ્યના સાત જિલ્લાના 825 કેન્દ્ર-શાળા ખાતે પરીક્ષા યોજાય હતી.

New Update
  • લોકરક્ષક દળની  લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા

  • સુરતના 206 કેન્દ્રો પર યોજાઈ પરીક્ષા

  • પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ટેકનોલોજીનો ઉપયોગ

  • બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેસ સ્ક્રિનિંગ કરાયું

સુરતમાં લોક રક્ષક દળની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી.પરીક્ષામાં પેપર લીકની ઘટના ન બને તે માટે ટેક્નિકલી ફૂલપ્રૂફ સુરક્ષા ગોઠવવામાં આવી હતી.અને શહેરના ચાર ઝોનમાં 206 પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12 હજાર જગ્યાઓ માટે આજરોજ રાજ્યના સાત જિલ્લા અમદાવાદવડોદરાસુરતરાજકોટગાંધીનગરઆણંદ અને ભાવનગરમાં કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાત જિલ્લાના 825 કેન્દ્ર-શાળા ખાતે પરીક્ષા યોજાય હતી.

સુરતના 206 પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા.અને બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરીને પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.