સુરત : સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય કિશોરની ચપ્પુના ઘા મારી હત્યા, 3 આરોપીની ધરપકડ...

સલાબતપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

New Update
સુરત : સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય કિશોરની ચપ્પુના ઘા મારી હત્યા, 3 આરોપીની ધરપકડ...

સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર તથા જીલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એકબાદ એક ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે, ત્યારે સલાબતપુરા વિસ્તારમાં સામાન્ય બાબતે 17 વર્ષીય કિશોરની હત્યાની ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલીમાં થયેલા ઝઘડામાં ધરાનજ નામના કિશોરની હત્યા કરવામાં આવી હતી. બનાવના પગલે પોલીસ તપાસ હાથ ધરતા આસિફ અને ધરાનજ નામના યુવકોએ એકબીજા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં ચપ્પુના ઘા લાગી જતાં ધનરાજ સપકાલેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે એઝાઝખાન ઉર્ફે અજ્જુ અજન્ટા, શફીખાન પઠાણ, આસીફ ઉર્ફે તરાપો ઉર્ફે અસ્ત્રો રસીદ શેખની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મુખ્ય આરોપી આસિફ હુમલામાં ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

સુરત : ભાઠા ગામમાં ગૂંગળામણથી ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા કરૂણ મોત, FSLની મદદથી પોલીસે શરૂ કરી તપાસ

જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા

New Update
  • ભાઠામાં સર્જાય ગંભીર ઘટના

  • ત્રણ સિનિયર સીટીઝનના નિપજ્યા મોત

  • ગૂંગળામણથી મોત થયા હોવાનું અનુમાન

  • જનરેટરનો ધુમાડો બન્યો મોતનું કારણ

  • પોલીસેFSLની મદદથી શરૂ કરી તપાસ  

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં ત્રણ લોકોનાં મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણનાં મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થતાં એકજ પરિવારના ત્રણ લોકો બાલુ પટેલ ઉં.વ. 77,સીતાબેન પટેલ ઉં.વ.56,વેદાબેન પટેલ ઉં.વ.60ના મોત થયા હતા. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રી દરમિયાન ત્રણે રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય ઘરે આવતા ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. 

પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય તેવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય સભ્યના મોત જનરેટરના ધુમાડાના કારણે થયા છે,કે પછી અન્ય કારણોસર તેની તપાસ માટેFSLની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહનો કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે.

Latest Stories