સુરત : પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓ દ્વારા અનોખુ અભિયાન, ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાનું વિતરણ કરાયું...

સુરત શહેરમાં અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે.

New Update

પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે અનોખુ અભિયાન

વિદ્યાર્થીઓએ શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કર્યું

પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયો વિશેષ કાર્યક્રમ

ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાના વિતરણનો કાર્યક્રમ યોજાયો

શાળાના આચાર્યશિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

સુરત શહેરમાં પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ શ્રીજીની અનોખી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કર્યું છેત્યારે સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થતાની સાથે જ હવે લોકો ગણેશ મહોત્સવ માટે થનગની રહ્યાં છેત્યારે સુરત શહેરમાં અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું નિર્માણ કર્યું છે.

જેમાં પોલીસ હેડક્વાર્ટર સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતશાળાના આચાર્યશિક્ષકો તથા 250 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શહેરના તમામ પોલીસ મથકમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવે તેવા આશય સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories
    Read the Next Article

    સુરત : બિસ્માર માર્ગ મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ,ભાજપના ઝંડા લગાવી કાર્યકરોએ પૂર્યા ખાડા

    સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

    New Update
    • શહેરના રસ્તા બન્યા ખાડામય

    • પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પડ્યા ખાડા

    • યુથ કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ

    • ખાડામાં ભાજપના લગાવ્યા ઝંડા

    • ભાજપ સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

    • કોંગી કાર્યકર્તાઓએ પૂર્યા ખાડા

    સુરત શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે રસ્તા બિસ્માર બન્યા છે. જેના કારણે તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
    સુરત શહેર વિકસિત શહેરની અગ્ર હરોળમાં આવે છે.પરંતુ લોકોને પડતી અસુવિધાઓથી શહેરની છબીને લાંછન પણ લાગી રહ્યું છે.વર્તમાન પરિસ્થિતિ જે બાબતની ચાળી ખાઈ રહી છે.જેમાં પ્રથમ વરસાદે જ શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાય જતા રસ્તા સમસ્યારૂપ બન્યા છે.
    શહેરના રસ્તાઓ પર ખાડા પડવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરીને વાહન લઈને પસાર થઈ રહ્યા છે.ત્યારે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.અને કોંગી કાર્યકર્તાઓએ ખાડા પુરોને ભાજપ સરકારના તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.
    Latest Stories