સુરત : સરકારી શાળામાં બાળકોના નાસ્તા પર કાપ મુકવામાં આવતા CMને સંબોધીને AAPનું તંત્રને આવેદન...

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે, પણ તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધો છે કે, એક વખતના આ નાસ્તામાં કાપ મુકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે

New Update

સરકારી શાળામાં બાળકોને અપાતાં નાસ્તા પર કાપ મુકાયો

ગુજરાત સરકારના તઘલખી નિર્ણય વિરુદ્ધAAPનો વિરોધ

કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધીને આવેદન અપાયું

ભ્રષ્ટાચારો પર કાપ મુકવાAAPના આગેવાનોની રજૂઆત

કુપોષણની સમસ્યા ઘટવાના બદલે વધી :AAP પ્રદેશ મહામંત્રી

ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળામાં બાળકોને આપવામાં આવતા નાસ્તા પર કાપ મુકવામાં આવતા સુરત કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છેપણ તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધો છે કેએક વખતના આ નાસ્તામાં કાપ મુકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે. એક તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કેવ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે

ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ કલેક્ટર વતી રાજ્યના મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર પાઠવ્યું છે. આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કેગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39.73% બાળકો કુપોષિત છે. એટલે કેરાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે. આ ઉપરાંત 21.39% બાળકોને નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન ધરાવે છે.

જૂન-2024માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય એવા રાજ્યોમાં ગુજરાત 6ઠ્ઠા સ્થાને હતું. ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભામાં સરકારે પોતે રજૂ કરેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં 6,10,292 બાળકો કુપોષિત અને 1,31,419 બાળકો અતિકુપોષિત હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા 5 વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે. એટલે કેકુપોષણની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છેત્યારે હવે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતું ભોજન અને નાસ્તો યથાવત રાખવામાં આવે અને પૈસા બચાવવા માટે ભ્રષ્ટાચારો ઉપર કાપ મુકવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું.

Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.