Connect Gujarat
સુરત 

સુરત : નશેબાજ પતિ ઘરે આવીને સુઇ ગયો પછી ઉઠયો જ નહિ, જુઓ પત્નીએ શું કર્યું

સુરતના કાજીપુરા વિસ્તારના હરિજનવાસમાં પત્નીએ દારૂડીયા પતિની હત્યા કરી નાંખી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

X

સુરતના કાજીપુરા ચુમાલીસ ચાલ ગાર્ડન ફેકટરી પાસે હરિજનવાસમાં ઘરમાં બેભાન મળેલા યુવાનની ગળેટૂંપો આપી હત્યા તેની પત્નીએ જ કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે.

સુરતના કાજીપુરા પાસે હરિજનવાસમાં રહેતાં ભાવેશ સોલંકી ગત રવિવારે બપોરે પોતાના ઘરમાં સુઈ ગયો હતો. જોકે, સાંજે ચાર વાગ્યે તે નહીં ઉઠતા તેની પત્નીએ દિયર મહેશને જાણ કરી હતી. મહેશ તેને સારવાર માટે મસ્કતી હોસ્પિટલમાં લઈ ગયો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ભાવેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતાં તેની ગળે ટુંપો દઇ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. શરૂઆતમાં જ પોલીસને શંકા હતી અને મૃતક ભાવેશના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યાં હતાં.

પોલીસે તેની પત્ની મીનાક્ષીને પુછતાં તે ખરજવાના નિશાન હોવાનું કહયું હતું પણ પોસ્ટમોર્ટમના રીપોર્ટે પત્નીનો ભાંડો ફોડી નાંખ્યો હતો. ભાવેશની હત્યા બીજા કોઇએ નહિ પણ ખુદ તેની પત્ની મીનાક્ષીએ જ કરી હોવાનું બહાર આવ્યું હતું. મૃતક કોઇ કામધંધો કરતો ન હતો તથા દારૂના રવાડે ચઢી ગયો હોવાથી કંટાળેલી પત્નીએ જ તેની હત્યા કરી નાંખી હોવાનું પોલીસે જણાવ્યું છે.

Next Story