સુરત : યાર્ન ડિલરોના ફસાતા નાણાં પરત મેળવવા "સીબીલ" સોફ્ટવેરનું નિર્માણ કરાશે

આ સોફ્ટવેરની મદદથી છેતરપિંડી કરનારા કે, પેમેન્ટ નહીં ચૂકવનાર યાર્ન વપરાશકારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ આવશે.

New Update
સુરત : યાર્ન ડિલરોના ફસાતા નાણાં પરત મેળવવા "સીબીલ" સોફ્ટવેરનું નિર્માણ કરાશે

સુરત શહેરના યાર્ન ડિલરોના ફસાતા નાણાં માટે સીબીલ સોફ્ટવેર બનાવવામાં આવનાર છે, ત્યારે આ સોફ્ટવેરની મદદથી છેતરપિંડી કરનારા કે, પેમેન્ટ નહીં ચૂકવનાર યાર્ન વપરાશકારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ આવશે.

સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી આવે ત્યારે વેપારીઓ અને કારખાનેદારોના પેમેન્ટ ફસાઈ જતા હોય છે, ત્યારે દર મહિને 3-4 ફરિયાદો અચૂક આવતી હોય છે. જેને અંકુશમાં લાવવા અને યાર્ન ડિલરોના ફસાતા પેમેન્ટ માટે આગામી દિવસોમાં સીબીલ સોફ્ટવેર બનાવવા આવશે. યાર્ન ડિલરો રૂપિયા 20થી 25 લાખ સુધીની રકમ ફસાઈ ગયાની ફરિયાદો એસોસિએશન સમક્ષ આવી ચૂકી છે. જોકે, રૂપિયા 50 લાખથી વધુની રકમ ફસાઇ હોવાની ફરિયાદો જવલ્લે જ આવે છે, ત્યારે ફસાયેલી રકમ કઢાવવા માટે સભ્યો એસોસિએશનની મદદથી પ્રયત્ન કરતા રહે છે. છેતરપિંડી કરનારા કે, પૈસા નહીં આપનારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ આવી શકે તે માટે યાર્ન ડિલર એસોસીએશને સીબીલ સોફ્ટવેર બનાવવાનું શરૂ કર્યું છે. આ સોફ્ટવેરની મદદથી છેતરપિંડી કરનારા કે, પેમેન્ટ નહીં ચૂકવનાર યાર્ન વપરાશકારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે યાર્ન ડિલર એસોસીએશને આયોજન ઘડ્યું છે.

Read the Next Article

સુરત : આંગણીયા પેઢીના 2 કર્મચારી સાથે થયેલ રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો, 5 શખ્સોની ધરપકડ

આંગણીયા પેઢીના કર્મચારીને માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો

New Update
  • વરાછામાં થયેલ લાખોના મત્તાની લૂંટ અને ચોરીનો મામલો

  • આંગણીયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થઈ લૂંટ અને ચોરી

  • રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો

  • પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ આદરી

  • 5 શખ્સોની ધરપકડ સાથે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી 

સુરતમાં અમદાવાદની આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. સમગ્ર મામલે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના આર. મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત તારીખ 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનુંચાંદી અને હીરા સહિત રૂ. 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. જે તા. 15મીએ મળસ્કે 4:30 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. તે જ વખતે તેની પાસે બ્લ્યુ કલરની કાર આવીને ઉભી રહી હતી.

કારમાં આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મુકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઉભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતોઅને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી રૂ. 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ તા. 16મીએ રાત્રે 8:15 વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લૂંટની તપાસ ચાલી રહી હતીતેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરીમેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે રૂ. 24.10 લાખના હીરા અને 90 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. જે તા. 17મીની મળસ્કે 5:15 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી હતી. આંગડિયાકર્મી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મુકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતોતે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે સવાર 2 ગઠિયા થેલો લઈને ઉતરી જતાં ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતીતેના 9 કલાકમાં જ બીજો કર્મચારી ચોરીનો ભોગ બનતા પોલીસ દોડતી થઇ હતી.

બન્ને ઘટનાઓને લઈને પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતીત્યારે આંગડિયા પેઢીના 2 અલગ અલગ કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા શૈલેષ રાજપુરોહિતશ્રવણસિંહ રાજપૂતજોગસિંહ રાજપુરોહિતઆકાશસિંગ ગણપતસિંગભરત રાજપુરોહિતને ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સો પાસેથી અલગ અલગ કેરેટના રૂ. 4 લાખના ડાયમંડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.