સુરત : સી.આર.પાટીલે શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી, રિલીફ ફંડમાં કરી રૂ. 11 લાખની સહાય...

કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટની સ્થળ મુલાકાત કરી. આ સાથે જ તેઓએ રિલીફ ફંડમાં 11 લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરી

New Update
  • શિવશક્તિ ટેક્સટાઈમ માર્કેટમાં લાગેલી આગનો મામલો

  • આગનું કારણ જાણવા FSLએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો

  • કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કરી સ્થળ મુલાકાત

  • રિલીફ ફંડમાં રૂ. 11 લાખની આર્થિક સહાય અર્પણ કરી

  • અન્ય લોકોને પણ આર્થિક સહાય અર્પણ કરવા અપીલ કરી

Advertisment

સુરતની શિવશક્તિ ટેક્સટાઈમ માર્કેટમાં લાગેલી આગની ઘટનાના પગલે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સ્થળ મુલાકાત કરી હતી. આ સાથે જ તેઓએ રિલીફ ફંડમાં 11 લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરી હતી.

સુરતની શિવશક્તિ ટેક્સટાઈમ માર્કેટમાં ગત તા. 25 ફેબ્રુઆરીએ બપોર અને ત્યાર બાદ 26 તારીખે સવારે લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયા બાદ હવે આગનું કારણ જાણવા FSLએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. આગ કાબૂમાં આવ્યા બાદ શુક્રવારે જ વેપારીઓએ પોતાની દુકાનોની સ્થિતિ જોવા માટે માર્કેટમાં અંદર જવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ તંત્રએ મંજૂરી આપી ન હતી.

ત્યારબાદ તંત્ર દ્વારા 2 વેપારીને સેફ્ટી સાથે માર્કેટમાં નિરીક્ષણ કરવા જવા દેવાયા હતા. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે SVNITની ટીમ પણ માર્કેટ પર પહોંચી હતી. જે 15 દિવસમાં રિપોર્ટ આપશે. રમજાન મહિનો ચાલુ થઈ રહ્યો હોયત્યારે મોટા ભાગના વેપારીઓએ સ્ટોક ફુલ કરી રાખ્યો હતોજેના કારણે વેપારીઓને મોટું નુકશાન થયું છે.

ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પણ ચિંતા વ્યક્ત કરી છેત્યારે આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળસશક્તિ મંત્રી સી.આર.પાટીલ શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાતે પહોચ્યા હતાજ્યાં ફોસ્ટા દ્વારા કરાયેલ રિલિફ ફંડ કમિટીમાં સી.આર.પાટીલે રૂ. 11 લાખની રાશી સહાય અર્પણ કરી હતી.

આ રાશી વેપારીઓને થયેલ આર્થિક નુકશાનમાં મદદરૂપ થશે. આ રિલીફ ફંડ કમિટીમાં 5 હજારથી લઈ લાખો રૂપિયા સુધીની રાશીની લોકો સહાય કરી શકે છેત્યારે હાલ 11 લાખ રૂપિયાની રાશી રિલીફ ફંડમાં શહેર ભાજપ તરફથી કરવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું.

Advertisment
Read the Next Article

સુરત : વેપારીઓના GST ડેટા વેચાય રહ્યા હોવાની કેન્દ્ર સરકારમાં રજૂઆતને પગલે ખળભળાટ,CAASએ લખ્યો નાણામંત્રીને પત્ર

ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કેન્દ્રીય નાણાંમંત્રીને કરવામાં આવતા ખળભળાટ મચી ગયો

New Update
  • CAAS એસો.નો સૌથી મોટો આરોપ

  • GSTના ડેટા ઓનલાઈન વેચવાનું રેકેટ

  • ડેટા સોલ્યુશન ગેંગ ચલાવી રહી છે નેટવર્ક

  • 10 હજારના પેકેજમાં વેચાઈ રહ્યા છે GST ડેટા

  • ગેંગનું દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડા હબ

  • CA એસો.ને કરી નક્કર પગલા ભરવાની માંગ

Advertisment

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને એક ઔપચારિક પત્ર લખવામાં આવ્યો છે,જેમાં ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને લખવામાં આવેલો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. આ પત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ વ્યવસ્થાની ગંભીર ખામીઓકરદાતાઓના ગુપ્ત ડેટાના વેચાણથી લઈને રિફંડ વિલંબ અને અપ્રમાણભૂત દંડ સુધીના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે 'ડેટા સોલ્યુશનનામની ગેંગ દિલ્હીગાઝિયાબાદ અને નોઈડામાં બેસીને સમગ્ર નેટવર્ક ચલાવી રહી હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે. 2B, 3અને e-Way Billનો ડેટા ત્રણ મહિનાના પેકેજમાં વહેંચાય છે.CAASના પ્રમુખ હાર્દિક કાકડિયાએ આ અંગે માહિતી આપી હતી.

સુરત CA એસોસિએશનના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર હિરેન અભંગીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં GSTના ડેટા લીક થતા હોવાની માહિતી મળી હતી,અને સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છેસરકાર પાસેથી માત્ર ખાતરી નહીંપણ નક્કર પગલાની અપેક્ષા રાખીએ છીએ. વેપારીઓને આજે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે વાત અમારા પત્રમાં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. જો આ સમસ્યાઓ પર તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ ન થાયતો સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા દાવ પર લાગી જવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે.

Advertisment