-
શિવશક્તિ ટેક્સટાઈમ માર્કેટમાં લાગેલી આગનો મામલો
-
આગનું કારણ જાણવા FSLએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો
-
કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કરી સ્થળ મુલાકાત
-
રિલીફ ફંડમાં રૂ. 11 લાખની આર્થિક સહાય અર્પણ કરી
-
અન્ય લોકોને પણ આર્થિક સહાય અર્પણ કરવા અપીલ કરી
સુરતની શિવશક્તિ ટેક્સટાઈમ માર્કેટમાં લાગેલી આગની ઘટનાના પગલે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સ્થળ મુલાકાત કરી હતી. આ સાથે જ તેઓએ રિલીફ ફંડમાં 11 લાખ રૂપિયાની આર્થિક સહાય અર્પણ કરી હતી.
સુરતની શિવશક્તિ ટેક્સટાઈમ માર્કેટમાં ગત તા. 25 ફેબ્રુઆરીએ બપોર અને ત્યાર બાદ 26 તારીખે સવારે લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયા બાદ હવે આગનું કારણ જાણવા FSLએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. આગ કાબૂમાં આવ્યા બાદ શુક્રવારે જ વેપારીઓએ પોતાની દુકાનોની સ્થિતિ જોવા માટે માર્કેટમાં અંદર જવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ તંત્રએ મંજૂરી આપી ન હતી.
ત્યારબાદ તંત્ર દ્વારા 2 વેપારીને સેફ્ટી સાથે માર્કેટમાં નિરીક્ષણ કરવા જવા દેવાયા હતા. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે SVNITની ટીમ પણ માર્કેટ પર પહોંચી હતી. જે 15 દિવસમાં રિપોર્ટ આપશે. રમજાન મહિનો ચાલુ થઈ રહ્યો હોય, ત્યારે મોટા ભાગના વેપારીઓએ સ્ટોક ફુલ કરી રાખ્યો હતો, જેના કારણે વેપારીઓને મોટું નુકશાન થયું છે.
ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ પણ ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે આજરોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળસશક્તિ મંત્રી સી.આર.પાટીલ શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાતે પહોચ્યા હતા, જ્યાં ફોસ્ટા દ્વારા કરાયેલ રિલિફ ફંડ કમિટીમાં સી.આર.પાટીલે રૂ. 11 લાખની રાશી સહાય અર્પણ કરી હતી.
આ રાશી વેપારીઓને થયેલ આર્થિક નુકશાનમાં મદદરૂપ થશે. આ રિલીફ ફંડ કમિટીમાં 5 હજારથી લઈ લાખો રૂપિયા સુધીની રાશીની લોકો સહાય કરી શકે છે, ત્યારે હાલ 11 લાખ રૂપિયાની રાશી રિલીફ ફંડમાં શહેર ભાજપ તરફથી કરવામાં આવી હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું.