સુરત : ડેન્ગ્યું અને મેલેરિયાના કેસમાં સતત વધારો, સરેરાશ 800 દર્દી લઈ રહ્યા છે સારવાર...

સિવિલ OPDમાં જૂન અને જૂલાઇની સરખામણીમાં ઓગષ્ટમાં કેસ 5 ગણા વધી રોજના 800 થઈ ગયા છે.

New Update
સુરત : ડેન્ગ્યું અને મેલેરિયાના કેસમાં સતત વધારો, સરેરાશ 800 દર્દી લઈ રહ્યા છે સારવાર...

સુરત શહેર તથા જીલ્લામાં ડેન્ગ્યુ-મેલેરિયાના વધી રહેલા કેસો વચ્ચે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓનો જાણે રાફડો ફાટ્યો છે. તો બીજી તરફ, પાલિકાનું ફોગિંગ અને સર્વે કામગીરી માત્ર કાગળ ઉપર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સુરત શહેર તથા જીલ્લામાં અનેક વિસ્તર એવો છે કે, જ્યાં ડેન્ગ્યુ અને મલેરીયાના ઘણા દર્દી છે. માત્ર સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા 2 મહિનામાં ડેન્ગ્યુના 296 અને મેલેરિયાના 544 દર્દીએ સારવાર લીધી છે. સિવિલ OPDમાં જૂન અને જૂલાઇની સરખામણીમાં ઓગષ્ટમાં કેસ 5 ગણા વધી રોજના 800 થઈ ગયા છે. તો બીજી તરફ, હવે રેસિડેન્ટ ડોક્ટરો પણ ડેન્ગ્યુની ચપેટમાં આવી રહ્યા છે.

સિવિલમાં દરરોજ સરેરાશ 800 દર્દી આવી રહ્યા છે. ડેન્ગ્યુના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 દર્દીના મોત થયા હોવાની પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. જોકે, ડેન્ગ્યુ અને મેલેરિયાની સાથે સાથે હવે ચીકનગુનિયાના કેસ પણ સામે આવી રહ્યા છે. ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના લક્ષણો સરખા જ હોવાથી નિદાનમાં તબીબો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે.

આ સાથે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે, જેથી હોસ્પિટલોની ઓપીડીમાં અને દાખલ દર્દીઓની સંખ્યા વધી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા વધારાના વોર્ડ શરૂ કરવાની ફરજ પડી રહી છે. આ તરફ, પાલિકાના VBDC વિભાગે સપ્ટેમ્બર માસમાં 7 લાખ ઘરોમાં સર્વે કરી મચ્છરોના 8872 બ્રિડીંગનો નાશ કર્યો હતો. જેમાં પાણી ભરાવામાં 978 લોકોને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. પરંતુ હવે પાલિકાનું ફોગિંગ અને સર્વેની કામગીરી માત્ર કાગળ ઉપર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.