સુરત : હીરા ઉદ્યોગની મંદીમાં રત્નકલાકારો માટે મદદની સુવાસ પ્રસરાવતું ડાયમંડ વર્કર યુનિયન,એક લાખ ચોપડાનું કર્યું નિઃશુલ્ક વિતરણ

ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકાર વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી 10 હજાર જેટલા રત્નકલાકારોના બાળકોને 1 લાખ જેટલા ચોપડા વિતરણ તેમજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

New Update

ડાયમંડ ઉદ્યોગ છે મંદીના બિછાને, રત્નકલાકારોની હાલત બની દયનીય, રત્નકલાકારોના બાળકોને કરાઈ શૈક્ષણિક મદદ

સુરત ડાયમંડ નગરીમાં હીરા ઉદ્યોગ હાલ મંદીના મારમાં બીમાર પડ્યો છે,જેના કારણે રત્નકલાકારોની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયને તેઓ માટે મદદનો હાથ લંબાવ્યો છે, અને શાળામાં અભ્યાસ કરતા બાળકોને અંદાજીત 1 લાખ જેટલા ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.

સુરતમાં હીરા ઉદ્યોગની મંદી વચ્ચે રત્નકલાકારો માટે ડાયમંડ વર્કર યુનિયન મદદરૂપ બન્યું છે,હીરા ઉદ્યોગ જ્યાં મંદીના મારમાં સપડાયો છે,તો બીજી તરફ રત્નકલાકારોની પરિસ્થિતિ પણ દિનપ્રતિદિન દયનીય બની છે,ત્યારે આર્થિક રીતે કપરા ચઢાણ ચઢતા રત્નકલાકારોની વ્હારે ડાયમંડ વર્કર યુનિયન આવ્યું છે.

શહેરના સરદાર સ્મૃતિ ભવનમાં ડાયમંડ વર્કર યુનિયન અને રત્નકલાકાર વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ચોપડા વિતરણ તેમજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અંદાજિત 10 હજાર જેટલા રત્નકલાકારોના બાળકોને 1 લાખ જેટલા ચોપડાનું નિઃશુલ્ક રીતે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મનોચિકિત્સક મુકુલ ચોકસી,ડીસીપી ઝોન 1 સુરત શહેર પોલીસ અને  હીરા ઉદ્યોગકાર તેમજ રત્નકલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સુરત પોલીસે વધતા આપઘાતની ઘટનાઓને અંકૂશમાં લેવા માટે વિશેષ માહિતી આપી હતી. જ્યારે મનોચિકિત્સક મુકુલ ચોકસીએ પણ રત્નકલાકારોને આપઘાત ન કરવા માટે વિશેષ સમજણ આપી હતી.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.