સુરત : હીરાનું વધશે "હીર", કટ અને પોલિશ્ડ હીરા પરની ડયુટીમાં 5 ટકાનો ઘટાડો

ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને બજેટમાં મળી મોટી રાહત, કોરોનાની મહામારીની ઇન્ડસ્ટ્રીઝ પર થઇ હતી અસર

New Update
સુરત : હીરાનું વધશે "હીર", કટ અને પોલિશ્ડ હીરા પરની ડયુટીમાં 5 ટકાનો ઘટાડો

કેન્દ્ર સરકારે રજુ કરેલાં વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટી ઘટાડીને 5% કરી દેવામાં આવતાં હીરા ઉદ્યોગકારોમાં નવી આશાનો સંચાર થયો છે.

સુરત શહેર હીરા અને ટેકસટાઇલ ઉદ્યોગ માટે વિશ્વભરમાં નામના ધરાવે છે. કોરોનાની વેશ્વિક મહામારીના કારણે બંને ઉદ્યોગો પર વિપરીત અસર પડી હતી.ડાયમંડ ઉદ્યોગમાં રફ અને પોલિશ્ડ ડાયમંડ ઉપર 7.5% ડ્યુટી વસૂલવામાં આવતી હતી. તેના કારણે ડાયમંડ ઉધોગને આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. હીરા ઉદ્યોગકારોએ રફ અને પોલિશ્ડ હીરા પર લાગતી ડયુટી ઘટાડીને 2.5 ટકા કરવાની માંગણી કરી હતી પણ સરકારે ડયુટી ઘટાડીને 5 ટકા કરી આપી છે. સરકારના આ પગલાંથી હીરા ઉદ્યોગની ચમક વધશે તેમ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું છે.

સુરતના હીરા ઉદ્યોગકારોને બજેટમાં ડયુટીમાં રાહત આપવામાં આવી છે પણ ટેકસટાઇલ તથા અન્ય ક્ષેત્રની માંગણીઓ બજેટમાં સ્વીકારવામાં આવી નથી. સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બજેટમાં ટેકસટાઇલ ઉદ્યોગને કોઇ ફાયદો થતો જણાય રહયો નથી. આખા બજેટની વાત કરવામાં આવે તો બજેટની અમુક જોગવાઇઓ આવકારદાયક છે.

Read the Next Article

સુરત : પોલીસે 8 વાહન ચોરના ગુનાઓનો ઉકેલ્યો ભેદ,બે મહિનામાં ચોરીને અંજામ આપનાર વાહન ચોરની ધરપકડ

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

New Update
  • 8 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

  • પોલીસને મળી સફળતા 

  • પોલીસે આરોપીની કરી ધરપકડ

  • અલગ અલગ વેશ ધારણ કરીને કરતો ચોરી

  • પોલીસે 8 બાઈક પણ કરી જપ્ત

સુરતમાં બે મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો.અને 8 વાહનો પોલીસે જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી.

સુરત શહેરના સિંગણપોર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા.અને બે મહિનામાં જ 8 જેટલી બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હતી.પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબ્જે કરી હતી.અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જયારે વાહન ચોરી કરવા જતો હતો,ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો.