સુરત: દિવ્યાંગ વિદ્યાર્થીની સફળતાની ઉંચાઈ,સંઘર્ષ કરીને MBBS સુધી પહોંચ્યો

વૈદીપના જુસ્સા અને પરિવારના પ્રેમ અને હૂંફથી વૈદીપે શિક્ષણક્ષેત્રે સફળતાની સીડી ચડવા લાગી હતી,અને ધોરણ 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયા બાદ પોતાની કારકિર્દી મેડિકલ ક્ષેત્રે બનાવવાની નેમ સાથે તેને આગળ ડગ ભરવા માંડ્યા

New Update
  • આજે વિશ્વ દિવ્યાંગ દિવસ

  • સુરતના દિવ્યાંગ વિદ્યાર્થીની સંઘર્ષમય ગાથા

  • અધૂરા માસે જન્મેલા વૈદીપને મળી શારીરિક સમસ્યા

  • સંઘર્ષને અપનાવી જીવનમાં મેળવી સફળતા

  • MBBS સુધી પ્રેરણામય જીવનનો સંઘર્ષ   

સુરતમાં દિવ્યાંગ હોવા છતાં સંઘર્ષ કરીનેMBBSના અભ્યાસ સુધી પહોંચનાર વિદ્યાર્થીએ અન્ય માટે પ્રેરણારૂપ બન્યો છે,મહેનત હોય તો અશક્ય કંઈજ નથી એ યુક્તિને આ વિદ્યાર્થીએ સાચી ઠેરવી છે.

દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક આપવા અને તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે ૩જી ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ મનાવવામાં આવે છે. વિકલાંગ વ્યક્તિઓનાં માનવ અધિકારોસ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને મનાવવામાં આવે છે. ત્યારે મૂળ ભાવનગર જિલ્લાના અને સુરતમાં વર્ષોથી સ્થાયી થઈ ગયેલા દેહુરભાઈ નાગોથા પરિવારમાં 2003માં પહેલા દીકરાનો અધુરા મહિને જન્મ થઈ ગયો હતો.

જેથી તેને નવ દિવસ કાચની પેટીમાં રાખવામાં આવ્યો. જેમ જેમ થોડા મહિનાઓ વીતવા લાગ્યા તેમ તેને કમરમાં ગાંઠ થઈ હોવાનું નિદાન થયું હતું. પહેલા ડોક્ટરો દ્વારા નોર્મલ જ ગાંઠ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે એક વર્ષનો થયા બાદ આ ગાંઠના કારણે પગનો વિકાસ જ બંધ થઈ ગયો હોવાનું નિદાન થયું હતું. પરિવાર દ્વારા પહેલા પુત્રનું નામ વૈદીપ રાખવામાં આવ્યું હતું.

આ ગાંઠના કારણે ચાલવાની તો દૂરની વાત હતી  પરંતુ બેસી પણ ન શકાય તેવી સ્થિતિ થઈ ગઈ હતી. ત્યારબાદ અમદાવાદ ખાતે આ ગાંઠને દૂર કરવા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગાંઠ દૂર થયા ગયા બાદ પણ કોઈ ફેરફાર થયો ન હતો. પગનો વિકાસ ન થવાના કારણે પગ વાંકા વળતા ગયા હતા. જેમ સામાન્ય લોકોના સીધા પગ હોય છે તેવી ફૂટ પ્રિન્ટ ન રહી. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ ચાલવાનું બંધ થઈ ગયું અને બેસવાનું પણ બંધ થઈ ગયું હતું.

જોકે વૈદીપના જુસ્સા અને પરિવારના પ્રેમ અને હૂંફથી વૈદીપે શિક્ષણક્ષેત્રે સફળતાની સીડી ચડવા લાગી હતી,અને ધોરણ 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયા બાદ પોતાની કારકિર્દી મેડિકલ ક્ષેત્રે બનાવવાની નેમ સાથે તેને આગળ ડગ ભરવા માંડ્યા હતા.અને તેના આ સંઘર્ષે તેને સફળતાની સિદ્ધિ અપાવી હતી,આજે વૈદીપ સુરત સિવિલ હોસ્પિટલની સરકારી મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો છે.અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.