સુરત : શ્રીજીની મોટી મૂર્તિનું 3 બોટ પોઈન્ટ ઓવારા પર કરાશે વિર્સજન, પોલીસ કમિશનરે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

ગણેશ વિસર્જનની તૈયારીઓમાં વહીવટી તંત્ર વ્યસ્ત બન્યું, શ્રીજીની મોટી મૂર્તિનું વિર્સજન શક્ય ન હોવાથી આયોજન. દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા વિશેષ આયોજન.

New Update

સુરત શહેરમાં શ્રીજીની મોટી મૂર્તિનું વિર્સજન શક્ય ન હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ફુટથી ઉંચી મૂર્તિનુ સુરતથી 35 કિમી દૂર હજીરાના બોટ પોઈન્ટ ઓવારા પર વિર્સજન કરવામાં આવશેજ્યાં સુરત પોલીસ કમિશનરે ગણેશ વિસર્જનની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવ્યું છે. આ મૂર્તિઓની સાથે 9 ફુટથી ઉંચી મૂર્તિઓની સંખ્યા પણ વધુ છે. જોકેમોટી મૂર્તિઓનું પાલિકા દ્વારા બનાવેલ 21 કુત્રિમ તળાવમાં વિર્સજન શક્ય નથી. જેથી 9 ફુટથી મોટી મૂર્તિનું વિર્સજન મગદલ્લાડુમસની સાથે હજીરામાં પણ થનાર છે. હજીરામાં રાધેકિષ્ના ગ્રુપ દ્વારા બોટ પોઇન્ટ ઓવારા પર વિર્સજનની વ્યવસ્થા

દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી છે. ગત વર્ષે વિર્સજનની પ્રક્રિયા 32 કલાક સુધી ચાલી હતી. આથી આ વખતે સાધન સામ્રગી વધારી દેવામાં આવી છે. હજીરાની મહાકાય કંપની દ્વારા 12 ક્રેઈન12 ફોર્કલીફટ9 સ્પેશિયલ ગેસ કટર અને અંદાજિત 600 સ્વંયસેવકો વિર્સજન માટે તૈયાર રહેશે. આ બોટ પોઈન્ટ ઓવારા પરથી સરળતાથી વિર્સજન થઈ શકે છે. કારણ કેક્રેઇન દ્વારા સીધી મૂર્તિનું દરિયામાં વિર્સજન થઇ જાય છે. ઊંચી મૂર્તિઓ ખંડિત ન થાય તે માટે લોંખડની એન્ગલ સાથે ફીટ કરેલી હોય છેઅને ગેસ કટરથી એંગલ કાપીને મૂર્તિનુ વિસર્જન કરવામાં આવે છે.

ગત વર્ષે આ કારણે જ વિસર્જનની પ્રક્રિયા લાંબી ચાલી હતી. આથી આ વખતે ગેસ કટરો પણ વધારવામાં આવ્યા છે. હાલ વિસર્જનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેને લઇને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સ્થળ મુલાકાતે ગયા હતા. સમગ્ર તૈયારીઓ તેમજ કોઇપણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સ્વયં સેવકોને સૂચનાઓ આપવામાં આવી છે.

Read the Next Article

સુરત : ચાઈનીઝ કૌભાંડીઓ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર 3 શખ્સો ઝડપાયા, મોબાઈલ-બેન્ક કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • શહેરમાંથી એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો

  • ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે થતી છેતરપિંડી

  • 3 શખ્સની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી

  • અગાઉ પણ 5 આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ

  • મોબાઈલક્રેડિટ-ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓની રેન્જ આઇજી સાઇબર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છેજેમાં ચાઈનીઝ કૌભાંડીઓએ ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી આચરી છે. સુરત રેન્જ આઇજી સાઇબર પોલીસે મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. ચાઈનીઝ ગેંગ સાથે મળી લોકો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અગાઉ પણ આ મામલે 5 આરોપીઓ ઝડપાયા હતા. આરોપીઓ ઓનલાઇન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેકDLF કંપની બનાવી અલગ અલગ બિલ્ડીંગ પ્રોજેક્ટસ ખરીદી પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા. અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે લોકોને રોજના 1500થી 3 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપતા હતા.

આરોપીઓએ લોકોને વિશ્વાસમાં લઈ રૂ. 14.80 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. આરોપીઓ છેતરપિંડીના રૂપિયા ચાઈનીઝ ગેંગ સાથે મળીને પડાવતા હતા. અગાઉ પણ રેન્જ આઇજી સાઇબર ક્રાઇમ પોલીસે બેંક ખાતુ ભાડે આપનારબેંક ખાતાની કીટ અને સીમકાર્ડ મેળવી આપનાર એજન્ટને ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપીઓ સાયબર ફ્રોડ કરતી ચાઈનીઝ ગેંગ સાથે મળી ક્રિપ્ટોનું વેચાણ કરતા હતાત્યારે હાલ તો પોલીસે પોતાના તથા અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ આપનાર મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 14 નંગ મોબાઈલ ફોન47 બેંકના ક્રેડિટ કાર્ડ અને 6 જેટલા ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.