સુરત : પ્રતિ હીરાની કામગીરીમાં 6 રૂપિયાનો ઘટાડો કરાતા વરાછાની શીવંતા જેમ્સના રત્ન કલાકારોની હડતાળ..!

હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. તો બીજી તરફ, અપૂરતા વેતન અને કામના કારણે વરાછામાં આવેલી શિવંતા જેમ્સના રત્ન કલાકારોએ હડતાળ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા

New Update
  • અપૂરતું કામ અને વેતન મળતા રત્નકલાકારોમાં રોષ

  • વરાછાની શીવંતા જેમ્સના રત્ન કલાકારો હડતાળ પર

  • જીણા હીરાના રૂ. 18માંથી ઘટાડી 12 રૂપિયા કરી દેવાયા

  • ભાવમાં અચાનક ઘટાડો કરાતા રત્ન કલાકારોમાં રોષ

  • 12 હજાર રૂપિયામાં ઘર ચલાવવું મુશ્કેલ : રત્ન કલાકાર

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. તો બીજી તરફઅપૂરતા વેતન અને કામના કારણે વરાછામાં આવેલી શિવંતા જેમ્સના રત્ન કલાકારોએ હડતાળ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ શીવંતા જેમ્સ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો કંપનીની બહાર હડતાળ ઉપર ઉતર્યા છે. ફેક્ટરીમાં કામ કરતા કામદારો પૈકી મોટાભાગના રત્ન કલાકારો કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. રત્ન કલાકારે જણાવ્યું હતું કેછેલ્લા 6 દિવસથી કામ મળી રહ્યું નથી. અમે મૂળ જાડા હીરાના કારીગર છેપરંતુ જ્યારે અમે શેઠ પાસે કામ માંગીએ છેત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવે છે કેહીરા નથી તો અમે તમને ઘસવા માટે કેવી રીતે આપીએ.

અને જે ડાયમંડ છે તે અત્યારે ઝીણા 15 સેન્ટના હીરા હોય છેએનામાં અમારે કામ કરવાનું થાય છેઅને તેના કારણે હીરા ઘસ્યા બાદ પણ અમને જોઈએ તેટલું કામનું વળતર મળતું નથી. પહેલા 30 હીરા ઘસતા હતાત્યારે અમને 1500 મળતા હતાજ્યારે હવે માત્ર 400 રૂપિયા મળી રહ્યા છે. અમારે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે સમજાતું નથી. અત્યારે મોંઘવારીના સમયે 12 હજારમાં ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ છેજ્યારે કંપની સંચાલક તરફથી કોઈપણ સંતોષકારક જવાબ મળતો ન હોવાનો પણ રત્ન કલાકારો આક્ષેપ કર્યો હતો.

Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.