સુરત : ચોક બજારમાં અશાંતધારાના પાલન માટે જૈન સમાજે જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દૂ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા જૈન સમાજ મેદાનમાં ઉતર્યું છે,અને અશાંતધારાના પાલન અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

New Update
  • ચોક બજારમાં અશાંતધારાના અમલ અંગે અસંતોષ

  • જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચવામાં આવ્યું

  • જૈન અને હિન્દુ સમુદાયમાં ભારે નારાજગી

  • અશાંતધારાનો ચુસ્ત રીતે અમલ કરવાની ઉઠી માંગ

  • જૈન સમુદાયે જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દૂ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા જૈન સમાજ મેદાનમાં ઉતર્યું છે,અને અશાંતધારાના પાલન અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સુરતમાં ચોક બજારમાં અશાંતધારાનાં અમલને લઈને વિવાદ ઉભો થયો છે,જેમાં આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચવામાં આવતા જૈન અને હિન્દુ સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.આ વિસ્તારમાં આદેશ્વર જૈન દેરાસરની બાજુમાં જ આવેલા વિજયકુમાર ઝવેરીનું મકાન ગાર્ડ ફરહત એઝાઝને વેચવામાં આવ્યું છે,જેના કારણે જૈન સમુદાય અને હિન્દૂઓમાં નારાજગી જોવા મળી રહી છે,ત્યારે આ વિસ્તારમાં અશાંતધારા પણ લાગુ કરવામાં આવ્યો છે,જેનું ચુસ્તપણે પાલન કરવા અંગેની માંગ ઉઠવા પામી છે,અને જૈન સમુદાય દ્વારા આ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે.

Read the Next Article

સુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય

સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

New Update
  • DGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

  • આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

  • ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે જોડાયા

  • આપ અને કોંગ્રેસMLA એક સાથે રહેતા ચર્ચા

  • DGVCL વિરુદ્ધ ઉગ્ર સૂત્ર ચાર કરી વિરોધ દર્શાવ્યો

સુરતમાંDGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાMLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.જે ઘટના રાજકીય ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની હતી.

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ધારાસભ્યો એક બીજા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. આ મુદ્દે આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલીDGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત DGVCL ખાતે આપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એક જૂથ થઈને ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ વીજ કંપનીના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા,અને ઉમેદવારોને નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.તેમજ 35 ઉમેદવારોને આવતીકાલે નોકરી આપવામાં આવશે અને અન્યને ઓગસ્ટ સુધીમાં તબક્કા વાઈઝ નોકરી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં મહેકમની જગ્યાઓ જે આઉટસોર્સિંગથી ભરવાની છે,તેમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.