/connect-gujarat/media/post_banners/84c47c6059f015e4425360827cf069cc4a76f222cd72482937661a4da021184b.jpg)
સુરતના સરથાણા વિસ્તારનો બનાવ
રત્નકલાકારે પરિવાર સાથે કર્યો આપઘાત
પત્ની અને પુત્રીનું મોત
પોલીસે તપાસ શરૂ કરી
સુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે.આ બનાવમાં પત્ની અને પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજયુ હતું જ્યાં રે પિતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે
સુરતમાં સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પત્ની અને પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું છે. જ્યારે પિતાની હાલત ગંભીર છે. પુત્ર હાલમાં જ ધો.12માં પાસ થયો છે. આર્થિક સંકડામણના કારણે રત્નકલાકારે પરિવાર સાથે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હતી. આથી આ બન્ને બચી ગયા છે. રત્નકલાકારે દવા પીધા બાદ પિતરાઈને ફોન કરી કહ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીને સાચવી લેજે.આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે