સુરત : પરમસુખ ગુરુકુળના 300થી વધુ બાળકોએ ગણેશજીની આરધના સાથે માતા-પિતાનું પૂજન કર્યું...

ગુરુકુળના 300થી વધુ બાળકો દ્વારા કરાયું અનોખુ પૂજન, બાળકોએ માતા અને પિતાનું પૂજન કરી ધન્યતા અનુભવી. પરમસુખ ગુરુકુળના આયોજનને સૌકોઈ લોકોએ બિરદાવ્યું.

New Update

સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના પ્રયાસે સુરત શહેરના પરમસુખ ગુરુકુળમાં 300થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે વડીલોનું પૂજન-અર્ચન કર્યું હતું.

 હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમ્યાન ભક્તો દ્વારા દુંદાળા દેવની યથાશક્તિ પ્રમાણે આરાધના સહિત પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં પણ ગણેશ મહોત્સવ નિમિત્તે અનોખી પૂજા કરવામાં આવી હતી. સુરતના પરમસુખ ગુરુકુળમાં ગણેશજીની પૂજા સાથે પોતાના દાદા-દાદીની પૂજા કરવામાં આવી હતી. 300થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે દાદા-દાદીનું પૂજન કર્યું હતું.

 સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના સુંદર પ્રયાસને સૌકોઈએ બિરદાવ્યો હતો. બાળકો પોતાના વડીલો પ્રત્યે પ્રેમ ધરાવે છે, અને આ સંસ્કૃતિમાં સમાવિષ્ટ રહે તે સુનિશ્ચિત કરવા માટે પરમસુખ ગુરુકુળના સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.