સુરત : પરમસુખ ગુરુકુળના 300થી વધુ બાળકોએ ગણેશજીની આરધના સાથે માતા-પિતાનું પૂજન કર્યું...

ગુરુકુળના 300થી વધુ બાળકો દ્વારા કરાયું અનોખુ પૂજન, બાળકોએ માતા અને પિતાનું પૂજન કરી ધન્યતા અનુભવી. પરમસુખ ગુરુકુળના આયોજનને સૌકોઈ લોકોએ બિરદાવ્યું.

New Update

સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના પ્રયાસે સુરત શહેરના પરમસુખ ગુરુકુળમાં 300થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે વડીલોનું પૂજન-અર્ચન કર્યું હતું.

 હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમ્યાન ભક્તો દ્વારા દુંદાળા દેવની યથાશક્તિ પ્રમાણે આરાધના સહિત પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં પણ ગણેશ મહોત્સવ નિમિત્તે અનોખી પૂજા કરવામાં આવી હતી. સુરતના પરમસુખ ગુરુકુળમાં ગણેશજીની પૂજા સાથે પોતાના દાદા-દાદીની પૂજા કરવામાં આવી હતી. 300થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે દાદા-દાદીનું પૂજન કર્યું હતું.

 સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના સુંદર પ્રયાસને સૌકોઈએ બિરદાવ્યો હતો. બાળકો પોતાના વડીલો પ્રત્યે પ્રેમ ધરાવે છે, અને આ સંસ્કૃતિમાં સમાવિષ્ટ રહે તે સુનિશ્ચિત કરવા માટે પરમસુખ ગુરુકુળના સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

સુરત કરોડોની હીરાની ચોરીના કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી

સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું.

New Update
diamond theft case

સુરતના કાપોદ્રામાં રૂપિયા 32 કરોડના હીરાની ચોરીના કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ અને કાપોદ્રા પોલીસે મળીને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે..આ ઘટનામાં માલિક પોતેજ આરોપી નીકળ્યો છે. એટલે કે જે વ્યક્તિએ હીરા ચોરીની ફરિયાદ નોંધાવી હતી, એ જ આરોપી નીકળ્યો.

મળતી માહિતી અનુસાર, ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારની હીરાની ચોરી થઈ જ નહોતી. સમગ્ર ઘટનાનું તરકટ ફરિયાદી દ્વારા પોતે જ ઘડાયું હતું. પોલીસે જ્યારે ઉલટ તપાસ હાથ ધરી ત્યારે દેવેન્દ્રકુમાર ચૌધરી વિરુદ્ધ પુરાવા મળતા તેમને આરોપી તરીકે ઓળખી કાર્યવાહી શરૂ કરી.