સુરત : ઉત્રાણમાં વ્યાજખોરોને દબોચતી પોલીસ,હીરા કારખાનેદારના મકાન અને પ્લોટ સિક્યુરિટી પેટે લખાવી લીધા બાદ પણ આપી ધાકધમકી

સુરતના ઉત્રાણમાં હીરા કારખાનેદારને વ્યાજખોરોએ ધાકધમકી આપીને માનસિક ત્રાસ આપતા હતા,આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,અને પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી હતી.   

New Update
  • ઉત્રાણ પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો

  • હીરા કારખાનેદારે 21.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા

  • મકાન અને પ્લોટ સિક્યુરીટી પેટે લખાવી લીધા હતા

  • ફરિયાદીએ 23 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા

  • વ્યાજખોરો 1.50 કરોડની માંગણી કરતા હતા

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

Advertisment W3.CSS

સુરતના ઉત્રાણમાં હીરા કારખાનેદારને વ્યાજખોરોએ ધાકધમકી આપીને માનસિક ત્રાસ આપતા હતા,આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,અને પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી હતી.   

સુરતના ઉત્રાણમાં રહેતા હીરા કારખાનેદાર દ્વારા રૂપિયા 21.50 લાખ વ્યાજે લેવામાં આવ્યા હતા,જેની સામે વ્યાજખોરોએ તેઓનું મકાન અને પ્લોટ સિક્યુરિટી પેટે લખાવી દીધું હતું,અને કારખાનેદારે લીધેલા રૂપિયા સામે તેઓએ 23 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા,જોકે તેમ છતાં વ્યાજખોરો રૂપિયા 1.50 કરોડની ઉઘરાણી કરીને ધાકધમકી આપતા હતા.અને મારવાની પણ ધમકી આપતા હતા,જે માનસિક ત્રાસથી કંટાળીને હીરા કારખાનેદારે ત્રણ વ્યાજખોરો ભરત દેસાઈ,અશોક ખટાણા અને ગોપાલ દેસાઈની સામે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તેઓની ફરિયાદને આધારે ત્રણેય વ્યાજખોરોની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Read the Next Article

સુરત : પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા પતિનો આપઘાત,બે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

New Update
  • વેસુમાં ત્રણ સંતાનોના પિતાનો આપઘાત

  • પત્ની સાથે બોલાચાલી બાદ અંતિમ પગલું

  • પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે થયો હતો ઝઘડો

  • સામાન્ય બાબતમાં પતિએ કર્યો આપઘાત

  • ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Advertisment W3.CSS

સુરતના વેસુ વિસ્તારમાં દંપતી વચ્ચેની સામાન્ય બોલાચાલીએ પરિવારને વિખેરી નાખ્યો હતો,જમવાનું બનાવવાની બાબતે થયેલા ઝઘડામાં પતિએ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી નાખતા બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.જોકે આ બાબતથી આઘાત લાગતા વિજય બારીયાએ ઘરમાં બીજા રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો દોડી આવીને વિજય બારીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વિજય બારીયાના આપઘાતને પગલે બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.