સુરત : ઉત્રાણમાં વ્યાજખોરોને દબોચતી પોલીસ,હીરા કારખાનેદારના મકાન અને પ્લોટ સિક્યુરિટી પેટે લખાવી લીધા બાદ પણ આપી ધાકધમકી

સુરતના ઉત્રાણમાં હીરા કારખાનેદારને વ્યાજખોરોએ ધાકધમકી આપીને માનસિક ત્રાસ આપતા હતા,આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,અને પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી હતી.   

New Update
  • ઉત્રાણ પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો

  • હીરા કારખાનેદારે 21.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા

  • મકાન અને પ્લોટ સિક્યુરીટી પેટે લખાવી લીધા હતા

  • ફરિયાદીએ 23 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા

  • વ્યાજખોરો 1.50 કરોડની માંગણી કરતા હતા

  • પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

સુરતના ઉત્રાણમાં હીરા કારખાનેદારને વ્યાજખોરોએ ધાકધમકી આપીને માનસિક ત્રાસ આપતા હતા,આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,અને પોલીસે ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી હતી.   

સુરતના ઉત્રાણમાં રહેતા હીરા કારખાનેદાર દ્વારા રૂપિયા 21.50 લાખ વ્યાજે લેવામાં આવ્યા હતા,જેની સામે વ્યાજખોરોએ તેઓનું મકાન અને પ્લોટ સિક્યુરિટી પેટે લખાવી દીધું હતું,અને કારખાનેદારે લીધેલા રૂપિયા સામે તેઓએ 23 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા,જોકે તેમ છતાં વ્યાજખોરો રૂપિયા 1.50 કરોડની ઉઘરાણી કરીને ધાકધમકી આપતા હતા.અને મારવાની પણ ધમકી આપતા હતા,જે માનસિક ત્રાસથી કંટાળીને હીરા કારખાનેદારે ત્રણ વ્યાજખોરો ભરત દેસાઈ,અશોક ખટાણા અને ગોપાલ દેસાઈની સામે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તેઓની ફરિયાદને આધારે ત્રણેય વ્યાજખોરોની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.