સુરત : પાંડેસરા વિસ્તારની નકલી જનસેવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને SMCએ સીલ કરી નોટિસ ફટકારી...

આરોગ્ય વિભાગના ઢીલા વલણ અને ઢીલી કામગીરીના કારણે જ સુરત જેવા શહેરમાં નકલી તબીબો નિર્ભયતાથી તેમના ક્લિનિક અને હોસ્પિટલ ચલાવી રહ્યા છે....

New Update
  • પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાય

  • નકલી જનસેવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો પર્દાફાશ

  • ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરી નોટિસ અપાય

  • હોસ્પિટલ નકલી અને તબીબો બોગસ હોવાનું સામે આવ્યું

  • મનપાની કાર્યવાહીના પગલે ઝોલાછાપ તબીબોમાં ફફડાટ 

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નકલી જનસેવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીંફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરી નોટિસ ફટકારવામાં આવી હતી.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગત રવિવારે એક હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતુંજ્યાં ‘‘જનસેવા’’ નામની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. જોકેઆ હોસ્પિટલ નકલી અને તબીબો બોગસ હોવાનું બહાર આવતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગના ઢીલા વલણ અને ઢીલી કામગીરીના કારણે જ સુરત જેવા શહેરમાં નકલી તબીબો નિર્ભયતાથી તેમના ક્લિનિક અને હોસ્પિટલ ચલાવી રહ્યા છેત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ મારી દેવામાં આવી હતી.

આ સાથે જ માલિકો વિરુદ્ધ નોટિસ પણ ચોંટાડવામાં આવી હતી. જોકેએક દિવસ પહેલાં જ હોસ્પિટલના સંચાલકોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી.

Read the Next Article

સુરત : આંગણીયા પેઢીના 2 કર્મચારી સાથે થયેલ રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો, 5 શખ્સોની ધરપકડ

આંગણીયા પેઢીના કર્મચારીને માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો

New Update
  • વરાછામાં થયેલ લાખોના મત્તાની લૂંટ અને ચોરીનો મામલો

  • આંગણીયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થઈ લૂંટ અને ચોરી

  • રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી-લૂંટનો ભેદ ઉકેલાયો

  • પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ આદરી

  • 5 શખ્સોની ધરપકડ સાથે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી 

સુરતમાં અમદાવાદની આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. સમગ્ર મામલે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના આર. મહેન્દ્ર આંગડિયામાં ડિલિવરીમેન તરીકે નોકરી કરતો નિકુલસિંહ રાજપૂત ગત તારીખ 14મીની રાત્રે પેઢીની અમદાવાદ ઓફિસમાંથી સોનુંચાંદી અને હીરા સહિત રૂ. 16.55 લાખની કિંમતના 25 પાર્સલ લઈને સુરતની હેડ ઓફિસ આવવા લક્ઝરી બસમાં નીકળ્યો હતો. જે તા. 15મીએ મળસ્કે 4:30 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો. તે જ વખતે તેની પાસે બ્લ્યુ કલરની કાર આવીને ઉભી રહી હતી.

કારમાં આવેલા 3 શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તે ગાંજો વેચતો હોવાનો આરોપ મુકી તેને કારમાં બેસવા દબાણ કર્યું હતું. તે વખતે પહેલેથી જ બહાર ઉભો રહેલો શખ્સ ત્યાં ધસી આવ્યો હતોઅને કારમાં અપહરણ કરી લેવાયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુનો માર મારી રૂ. 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો. પેઢીના ભાગીદાર રાજેશસિંહ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ તા. 16મીએ રાત્રે 8:15 વાગ્યે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લૂંટની તપાસ ચાલી રહી હતીતેની વચ્ચે આ જ પેઢીનો બીજો ડિલિવરીમેન પ્રફુલ્લ પરષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે રૂ. 24.10 લાખના હીરા અને 90 રૂપિયાની કિંમતના સોનાના 25 પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો. જે તા. 17મીની મળસ્કે 5:15 વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઉભી હતી. આંગડિયાકર્મી ડ્રાઇવિંગ સીટની પાછળ થેલો મુકી ડ્રાઈવર સાથે વ્યસ્ત હતોતે વખતે બસમાં તેને લૂંટવાના ઇરાદે સવાર 2 ગઠિયા થેલો લઈને ઉતરી જતાં ધમાચકડી મચી હતી. એક ગુનાની તપાસ ચાલી રહી હતીતેના 9 કલાકમાં જ બીજો કર્મચારી ચોરીનો ભોગ બનતા પોલીસ દોડતી થઇ હતી.

બન્ને ઘટનાઓને લઈને પોલીસે CCTV ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતીત્યારે આંગડિયા પેઢીના 2 અલગ અલગ કર્મચારીઓ સાથે થયેલી રૂ. 40.65 લાખના માલમત્તાની ચોરી અને લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. લૂંટ અને ચોરીના ગુનામાં સંડોવાયેલા શૈલેષ રાજપુરોહિતશ્રવણસિંહ રાજપૂતજોગસિંહ રાજપુરોહિતઆકાશસિંગ ગણપતસિંગભરત રાજપુરોહિતને ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સો પાસેથી અલગ અલગ કેરેટના રૂ. 4 લાખના ડાયમંડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.