સુરત : ડાયમંડ ઉદ્યોગમાં ભાવ વધારા મુદ્દે હડતાલનો ઢોલ પિટાયો,30 માર્ચના રોજ વર્કર યુનિયન દ્વારા સ્ટ્રાઈકનું એલાન

સુરત ડાયમંડ ઉદ્યોગમાં સર્જાયેલા મંદીના મારથી રત્નકલાકારોની હાલત કફોડી બની છે.આ કારણોસર રત્નકલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે.

New Update
  • ડાયમંડ ઉદ્યોગમાં ભાવ વધારા બાબતે હડતાલનો ઢોલ પિટાયો

  • 30 માર્ચના રોજ હીરા ઉદ્યોગમાં પગાર અને ભાવ વધારાને લઇ હડતાલ

  • ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું

  • કતારગામ દરવાજાથી રેલી કાઢવામાં આવશે

  • તમામ રત્ન કલાકારો હડતાલમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી

Advertisment

સુરત ડાયમંડ ઉદ્યોગમાં સર્જાયેલા મંદીના મારથી રત્નકલાકારોની હાલત કફોડી બની છે.આ કારણોસર રત્નકલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા રત્નકલાકારો માટે યોજના જાહેર કરવાની માંગ ઉઠી છે.અને કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.ત્યારે 30 માર્ચના રોજ ડાયમંડ યુનિયન દ્વારા હડતાલનું એલાન ઢોલ પીટીને કરવામાં આવ્યું છે.

સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આગામી 30 માર્ચના રોજ હડતાળ અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે. આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે. આ હડતાળમાં વધુમાં વધુ રત્નકલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વીડિયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છેત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 10 માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્નકલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. સંગઠન દ્વારા 30 માર્ચ2025ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે રત્નકલાકાર એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છેજે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે. રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે.

હીરા ઉદ્યોગના રત્નકલાકારો પગાર અને ભાવ વધારો તથા સરકાર રત્નકલાકારોને આર્થિક મદદ કરે એવી માંગ સાથે 30 માર્ચ2025ના રોજ અહિંસક સ્વયંભૂ હડતાળમાં જોડાશે. કેમ કેછેલ્લા ઘણા વર્ષોથી રત્નકલાકારોના પગાર કે ભાવમાં કોઈ વધારો થયો નથી. મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છેત્યારે રત્નક્લાકારોના પગાર વધવાને બદલે ઘટી રહ્યા છે. 

Advertisment
Read the Next Article

સુરત :  માતાના પ્રેમીને દીકરાએ ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને રહેંસી નાખતા ચકચાર

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

New Update
  • ગોડાદરામાં ચોંકાવનારો હત્યાનો બનાવ

  • માતાના પ્રેમીની હત્યાની ઘટનાથી ચકચાર

  • પુત્રએ ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી

  • માતાએ પુત્રને બચાવવા પોલીસને ગેરમાર્ગે દોડાવી

  • પોલીસે કરી હત્યારા પુત્રની ધરપકડ

Advertisment

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચોંકાવનારી કરનાર ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની જ માતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.પોલીસે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વિશાલ નામના યુવકે પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી દીધી હતી. રાજેન્દ્ર અને વિશાલની માતા વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ વિશે વિશાલને ખબર પડી ગઈ હતી અને તે આ બાબતે ખુબ જ ગુસ્સામાં રહેતો હતો. આખરે ગુસ્સાનું પરિણામ એવું આવ્યું કે એક દિવસ વિશાલે રાજેન્દ્રને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

વિશાલે રાજેન્દ્રને મળવા બોલાવ્યો અને પછી ગળાના ભાગે ચપ્પાથી ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજેન્દ્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદમાતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોલીસને ખોટી માહિતી પણ આપી હતી. માતાએ પોલીસને જણાવ્યું કે કોઈ અજાણ્યો શખ્સ આવીને રાજેન્દ્રની હત્યા કરી છે અને પછી ત્યાંથી ભાગી ગયો છે.પરંતુ પોલીસને શંકા જતા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પુત્ર વિશાલે આખો ભેદ ઉકેલી નાખ્યો અને કબૂલાત કરી કે તેણે જ પોતાની માતાના પ્રેમી રાજેન્દ્રની હત્યા કરી છે. અંતે પોલીસે વિશાલની ધરપકડ કરી લીધી છે અને હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment