સુરત : સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે કરવામાં આવી મહત્વની જાહેરાત,દૂધના ભાવમાં કર્યો વધારો

સુમુલ ડેરી સાથે સંકળાયેલા સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.સુમુલ ડેરીએ ભાવ વધારો કર્યો, જેનાથી પશુપાલકોને મહત્ત્વની આર્થિક રાહત મળશે.

New Update
  • સુમુલ ડેરીની મહત્વપૂર્ણ જાહેરાત

  • પશુપાલકો માટે કરવામાં આવી જાહેરાત

  • સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં ખુશી

  • પશુપાલકો માટે બોનસની કરી જાહેરાત

  • કિલો ફેટે રૂ.120બોનસ આપવાની જાહેરાત

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ મહત્વની જાહેરાત કરી છે.સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પશુપાલકોને દૂધના ફેટ દીઠ રૂપિયા120મળશેજયારે અગાઉ રૂપિયા115આપવામાં આવતા હતા.

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કેસુમુલ ડેરીએ પોતાના દૂધ ઉત્પાદક પશુપાલકોની આર્થિક સુખાકારી માટે આ નિર્ણય લીધો છે. સુમુલ ડેરી સાથે સંકળાયેલા સુરત અને તાપી જિલ્લાના આશરે2.50લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.સુમુલ ડેરીએ ભાવ વધારો કર્યોજેનાથી પશુપાલકોને મહત્ત્વની આર્થિક રાહત મળશે. દૂધના ભાવમાં વધારાનો લાભ તાત્કાલિક ચૂકવવામાં આવશે.

સુમુલ ડેરીએ કહ્યું કે પશુપાલન એક ખર્ચાળ વ્યવસાય છેતેથી પશુપાલકોની નફાકારકતા જાળવવી મહત્વપૂર્ણ છે. દરવર્ષે દૂધ ઉત્પાદકો માટે નવી યોજનાઓ અને સહાય યોજના અમલમાં મૂકી પશુપાલકોનો ઉત્કર્ષ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.