સુરત : સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે કરવામાં આવી મહત્વની જાહેરાત,દૂધના ભાવમાં કર્યો વધારો

સુમુલ ડેરી સાથે સંકળાયેલા સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.સુમુલ ડેરીએ ભાવ વધારો કર્યો, જેનાથી પશુપાલકોને મહત્ત્વની આર્થિક રાહત મળશે.

New Update
  • સુમુલ ડેરીની મહત્વપૂર્ણ જાહેરાત

  • પશુપાલકો માટે કરવામાં આવી જાહેરાત

  • સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં ખુશી

  • પશુપાલકો માટે બોનસની કરી જાહેરાત

  • કિલો ફેટે રૂ.120બોનસ આપવાની જાહેરાત

Advertisment

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ મહત્વની જાહેરાત કરી છે.સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પશુપાલકોને દૂધના ફેટ દીઠ રૂપિયા120મળશેજયારે અગાઉ રૂપિયા115આપવામાં આવતા હતા.

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કેસુમુલ ડેરીએ પોતાના દૂધ ઉત્પાદક પશુપાલકોની આર્થિક સુખાકારી માટે આ નિર્ણય લીધો છે. સુમુલ ડેરી સાથે સંકળાયેલા સુરત અને તાપી જિલ્લાના આશરે2.50લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.સુમુલ ડેરીએ ભાવ વધારો કર્યોજેનાથી પશુપાલકોને મહત્ત્વની આર્થિક રાહત મળશે. દૂધના ભાવમાં વધારાનો લાભ તાત્કાલિક ચૂકવવામાં આવશે.

સુમુલ ડેરીએ કહ્યું કે પશુપાલન એક ખર્ચાળ વ્યવસાય છેતેથી પશુપાલકોની નફાકારકતા જાળવવી મહત્વપૂર્ણ છે. દરવર્ષે દૂધ ઉત્પાદકો માટે નવી યોજનાઓ અને સહાય યોજના અમલમાં મૂકી પશુપાલકોનો ઉત્કર્ષ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Read the Next Article

સુરત કરોડોની હીરાની ચોરીના કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી

સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું.

New Update
diamond theft case

સુરતના કાપોદ્રામાં રૂપિયા 32 કરોડના હીરાની ચોરીના કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાંચ અને કાપોદ્રા પોલીસે મળીને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે..આ ઘટનામાં માલિક પોતેજ આરોપી નીકળ્યો છે. એટલે કે જે વ્યક્તિએ હીરા ચોરીની ફરિયાદ નોંધાવી હતી, એ જ આરોપી નીકળ્યો.

મળતી માહિતી અનુસાર, ડી.કે. એન્ડ સન્સ નામની હીરાનો વેપાર કરતી કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ કરોડોના હીરા ચોરીનું આખુ ષડયંત્ર રચ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે કંપનીમાંથી કોઈ પણ પ્રકારની હીરાની ચોરી થઈ જ નહોતી. સમગ્ર ઘટનાનું તરકટ ફરિયાદી દ્વારા પોતે જ ઘડાયું હતું. પોલીસે જ્યારે ઉલટ તપાસ હાથ ધરી ત્યારે દેવેન્દ્રકુમાર ચૌધરી વિરુદ્ધ પુરાવા મળતા તેમને આરોપી તરીકે ઓળખી કાર્યવાહી શરૂ કરી.