સુરત : સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે કરવામાં આવી મહત્વની જાહેરાત,દૂધના ભાવમાં કર્યો વધારો

સુમુલ ડેરી સાથે સંકળાયેલા સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.સુમુલ ડેરીએ ભાવ વધારો કર્યો, જેનાથી પશુપાલકોને મહત્ત્વની આર્થિક રાહત મળશે.

New Update
  • સુમુલ ડેરીની મહત્વપૂર્ણ જાહેરાત

  • પશુપાલકો માટે કરવામાં આવી જાહેરાત

  • સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં ખુશી

  • પશુપાલકો માટે બોનસની કરી જાહેરાત

  • કિલો ફેટે રૂ.120 બોનસ આપવાની જાહેરાત 

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ મહત્વની જાહેરાત કરી છે.સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પશુપાલકોને દૂધના ફેટ દીઠ રૂપિયા 120 મળશેજયારે અગાઉ રૂપિયા 115 આપવામાં આવતા હતા.

સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કેસુમુલ ડેરીએ પોતાના દૂધ ઉત્પાદક પશુપાલકોની આર્થિક સુખાકારી માટે આ નિર્ણય લીધો છે. સુમુલ ડેરી સાથે સંકળાયેલા સુરત અને તાપી જિલ્લાના આશરે 2.50 લાખ પશુપાલકોને આ નિર્ણયથી લાભ થશે.સુમુલ ડેરીએ ભાવ વધારો કર્યોજેનાથી પશુપાલકોને મહત્ત્વની આર્થિક રાહત મળશે. દૂધના ભાવમાં વધારાનો લાભ તાત્કાલિક ચૂકવવામાં આવશે.

સુમુલ ડેરીએ કહ્યું કે પશુપાલન એક ખર્ચાળ વ્યવસાય છેતેથી પશુપાલકોની નફાકારકતા જાળવવી મહત્વપૂર્ણ છે. દરવર્ષે દૂધ ઉત્પાદકો માટે નવી યોજનાઓ અને સહાય યોજના અમલમાં મૂકી પશુપાલકોનો ઉત્કર્ષ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Read the Next Article

સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્વની કરાઈ ઉજવણી

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી..

New Update
  • શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં યોજાયો કાર્યક્રમ   

  • કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્વની ઉજવણી

  • ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ

  • બાળકોનો કુમકુમ પગલે શાળામાં પ્રવેશ

  • તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણકુમાર સિંહ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેનજિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા,જયારે શાળાનું પ્રથમ પગથિયું ચઢતા નાના ભુલકાઓને કુમકુમ તિલક કરી અને કુમકુમ પગલા સાથે શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.