સુરત : દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026 સુધીમાં સુરત-બિલીમોરા વચ્ચે દોડશે : કેન્દ્રીય રેલ્વે મંત્રી

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજાયો, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા કરાયું વિશેષ સન્માનનું આયોજન

New Update
સુરત : દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026 સુધીમાં સુરત-બિલીમોરા વચ્ચે દોડશે : કેન્દ્રીય રેલ્વે મંત્રી

સુરત ખાતે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન-હરિયાણા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજાયો હતો, ત્યારે વર્ષ 2026 સુધીમાં દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ કરવામાં આવશે તેમ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ હતું.

સુરત શહેરના સિટીલાઈટ વિસ્તાર સ્થિત દ્વારકા હોલ મહારાજા અગ્રેસન ભવન ખાતે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સુરત સૌને સમાવનારૂ શહેર છે. ભારતના કોઈ પણ સમાજના એક જ સ્થળે દર્શન કરવા હોય તો સુરત આવો. આ શહેર એવું વિલક્ષણ છે, જેણે દેશભરમાંથી સ્થળાંતરિત થઈને આવેલા લાખો દેશવાસીઓને રોજગારી પૂરી પાડીને મિની ભારતનું સર્જન કર્યું છે. આ સાથે જ સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન તા. 15મી ઓગસ્ટ 2026 સુધીમાં શરૂ થઈ જશે. જે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ સાહસિકો તેમજ અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન-હરિયાણા સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.