Connect Gujarat
સુરત 

સુરત: પાંડેસરામાં મકાનના બીજા માળેથી પટકાતા 5 વર્ષની બાળકીનું કરૂણ મોત, પરિવારમાં ગમગીની

સુરતમાં વાલીઓ માટે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી નગર ખાતે ઘરના બીજા માટે રમી રહેલી પાંચ વર્ષની બાળકી નીચે પટકાતા મોત નીપજ્યું હતુ

X

સુરતમાં વાલીઓ માટે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી નગર ખાતે ઘરના બીજા માટે રમી રહેલી પાંચ વર્ષની બાળકી નીચે પટકાતા મોત નીપજ્યું હતુ.

મૂળ બિહારનો વતની ઉદય કુમાર પ્રસાદ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી નગરમાં રહે છે પાંડેસરામાં ખાતે ડાઇન મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાંજના સમયે ઉદય કુમારની પત્ની ઘરમાં ઘરકામ કરી રહી હતી દરમિયાન તેમની પાંચ વર્ષની પુત્રી આપ્રીતિ ઘરના ઓરડા બહાર ગેલેરી પાસે રમી રહી હતી રમતા રમતા અચાનક આપ્રીતિ પ્રસાદ ઘરના બીજા મળેથી નીચે પટકાઈ જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઈ નજીકમાં જ રહેતા સ્થાનિકો દોડી આવ્યા હતા બાળકીને તાત્કાલિક સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતુ.વાલીઓ માટે આ ઘટના લાલ બત્તી સમાન છે જો વાલીઓ પોતાના બાળકો ઉપર ધ્યાન ન મૂકે તો તેમના બાળકોનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે. હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Next Story