સુરત: પાંડેસરામાં મકાનના બીજા માળેથી પટકાતા 5 વર્ષની બાળકીનું કરૂણ મોત, પરિવારમાં ગમગીની

સુરતમાં વાલીઓ માટે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી નગર ખાતે ઘરના બીજા માટે રમી રહેલી પાંચ વર્ષની બાળકી નીચે પટકાતા મોત નીપજ્યું હતુ

New Update
સુરત: પાંડેસરામાં મકાનના બીજા માળેથી પટકાતા 5 વર્ષની બાળકીનું કરૂણ મોત, પરિવારમાં ગમગીની

સુરતમાં વાલીઓ માટે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી નગર ખાતે ઘરના બીજા માટે રમી રહેલી પાંચ વર્ષની બાળકી નીચે પટકાતા મોત નીપજ્યું હતુ.

મૂળ બિહારનો વતની ઉદય કુમાર પ્રસાદ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી નગરમાં રહે છે પાંડેસરામાં ખાતે ડાઇન મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાંજના સમયે ઉદય કુમારની પત્ની ઘરમાં ઘરકામ કરી રહી હતી દરમિયાન તેમની પાંચ વર્ષની પુત્રી આપ્રીતિ ઘરના ઓરડા બહાર ગેલેરી પાસે રમી રહી હતી રમતા રમતા અચાનક આપ્રીતિ પ્રસાદ ઘરના બીજા મળેથી નીચે પટકાઈ જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઈ નજીકમાં જ રહેતા સ્થાનિકો દોડી આવ્યા હતા બાળકીને તાત્કાલિક સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતુ.વાલીઓ માટે આ ઘટના લાલ બત્તી સમાન છે જો વાલીઓ પોતાના બાળકો ઉપર ધ્યાન ન મૂકે તો તેમના બાળકોનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે. હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.