સુરત : વેપારીઓના GST ડેટા વેચાય રહ્યા હોવાની કેન્દ્ર સરકારમાં રજૂઆતને પગલે ખળભળાટ,CAASએ લખ્યો નાણામંત્રીને પત્ર

ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કેન્દ્રીય નાણાંમંત્રીને કરવામાં આવતા ખળભળાટ મચી ગયો

New Update
  • CAAS એસો.નો સૌથી મોટો આરોપ

  • GSTના ડેટા ઓનલાઈન વેચવાનું રેકેટ

  • ડેટા સોલ્યુશન ગેંગ ચલાવી રહી છે નેટવર્ક

  • 10 હજારના પેકેજમાં વેચાઈ રહ્યા છે GST ડેટા

  • ગેંગનું દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડા હબ

  • CA એસો.ને કરી નક્કર પગલા ભરવાની માંગ

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને એક ઔપચારિક પત્ર લખવામાં આવ્યો છે,જેમાં ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને લખવામાં આવેલો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. આ પત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ વ્યવસ્થાની ગંભીર ખામીઓકરદાતાઓના ગુપ્ત ડેટાના વેચાણથી લઈને રિફંડ વિલંબ અને અપ્રમાણભૂત દંડ સુધીના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે 'ડેટા સોલ્યુશનનામની ગેંગ દિલ્હીગાઝિયાબાદ અને નોઈડામાં બેસીને સમગ્ર નેટવર્ક ચલાવી રહી હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે. 2B, 3અને e-Way Billનો ડેટા ત્રણ મહિનાના પેકેજમાં વહેંચાય છે.CAASના પ્રમુખ હાર્દિક કાકડિયાએ આ અંગે માહિતી આપી હતી.

સુરત CA એસોસિએશનના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર હિરેન અભંગીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં GSTના ડેટા લીક થતા હોવાની માહિતી મળી હતી,અને સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છેસરકાર પાસેથી માત્ર ખાતરી નહીંપણ નક્કર પગલાની અપેક્ષા રાખીએ છીએ. વેપારીઓને આજે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે વાત અમારા પત્રમાં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. જો આ સમસ્યાઓ પર તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ ન થાયતો સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા દાવ પર લાગી જવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.